Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1570 of 4199

 

સમયસાર ગાથા-૧પ૪ ] [ ૧૦૯

પુણ્ય-પાપનો જે ભાવ છે તે એક સમયનો વિકૃત ભાવ છે. તે સિવાય અંદર આખી ચીજ નિર્મળાનંદ ચિદાનંદ પ્રભુ છે. વસ્તુપણે પોતે અંદર પરમેશ્વર પરમાત્મસ્વરૂપ ભગવાન છે. પણ એની ખબર કયાં છે એને? અને એને એ વાત કયાં બેસે છે? તેથી પુણ્યના પરિણામમાં રોકાઈ રહીને, અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના પરિણમનરૂપ-થવારૂપ જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને તેઓ પામતા નથી. અહાહા...! આત્મા તો અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખસ્વરૂપ છે; આ ઇન્દ્રિયજ્ઞાન અને ઇન્દ્રિય-સુખ તે આત્મા નહિ. પરંતુ શુભભાવને છોડવા અસમર્થ હોવાથી તેઓ શુદ્ધ ચૈતન્યમય જ્ઞાનાનંદસ્વભાવી આત્માને પામતા નથી.

આથી તેઓ અત્યંત સ્થૂળ સંકલેશ પરિણામરૂપ કર્મો એટલે હિંસાદિના અશુભ ભાવરૂપ કર્મોથી નિવૃત્ત થયા છે પણ અત્યંત સ્થૂલ વિશુદ્ધ પરિણામરૂપ કર્મો તેમને વર્તે છે. મતલબ કે પાપના ભાવો તો તેમણે તજી દીધા છે પણ વ્રત, તપ, ભક્તિ, ભગવાનની સ્તુતિ, વંદના ઇત્યાદિ શુભભાવરૂપ કાર્યોમાં તેઓ વર્તે છે. અહીં કર્મો એટલે જડકર્મની વાત નથી પણ શુભાશુભભાવરૂપ કર્મોની વાત છે. અહાહા...! આત્મા સૂક્ષ્મ અરૂપી ચૈતન્યઘનસ્વરૂપ મહાપ્રભુ છે એની એને ખબર નથી તેથી સામાયિકની પ્રતિજ્ઞા લઈને પણ તે સ્થૂળ એવા અચેતન શુભરાગમાં પ્રવર્તે છે. પરંતુ ભાઈ! શુભભાવ એ સામાયિક કહેતાં આત્માનો સમભાવરૂપ પરિણામ નથી; એ તો વિષમ ભાવ છે.

જુઓ, અહીં વ્રત, તપ, પૂજા ભક્તિ ઇત્યાદિ શુભભાવને અત્યંત સ્થૂલ એટલે જાડો કહ્યો છે. ગાથા ૭૨ માં એને અશુચિ, અચેતન, અને દુઃખનું કારણ કહ્યું છે. ભાઈ! એ (-શુભરાગ) મોક્ષનું કારણ તો નહિ પણ દુઃખનું કારણ છે એમ કહ્યું છે. હવે કહે છે-જેમને

‘અત્યંત સ્થૂળ વિશુદ્ધપરિણામરૂપ પ્રવર્તે છે એવા તેઓ, કર્મના અનુભવના ગુરુપણા- લઘુપણાની પ્રાપ્તિમાત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા, (પોતે) સ્થૂલ લક્ષ્યવાળા હોઈને (સંકલેશ પરિણામોને છોડાતા હોવા છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી.’

શું કીધું? કે શુભભાવ છે એ લઘુ કર્મ છે અને અશુભ છે એ ગુરુભારે કર્મ છે. ત્યાં અશુભ જે ભારે છે એને તો છોડયું છે પણ જે લઘુ-હળવો સ્થૂળ શુભભાવ છે એને રાખ્યો છે, સંચિત કર્યો છે. પણ બેય કર્મ છે, બેય વિકાર છે, બેય દોષ-અપરાધ છે. પરંતુ શુભભાવરૂપ કર્મમાં હળવાપણું અનુભવીને તેમાં સંતુષ્ટ ચિત્તવાળા થાય છે. મતલબ કે શુભભાવની હળવાશમાં મીઠાશ અનુભવીને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, અંતર- પુરુષાર્થ કરતા નથી. આ પ્રમાણે સ્થૂળ લક્ષ્યવાળા હોઈને તેઓ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. અહાહા...! અત્યંત સૂક્ષ્મસ્વરૂપ