अथ परमार्थमोक्षहेतुं तेषां दर्शयति–
रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो।। १५५ ।।
रागादिपरिहरणं चरणं एषस्तु मोक्षपथः।। १५५ ।।
હવે એવા જીવોને પરમાર્થ મોક્ષકારણ (ખરું મોક્ષનું કારણ) બતાવે છેઃ-
રાગાદિ–વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે. ૧પપ.
ગાથાર્થઃ– [जीवादिश्रद्धानं] જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન [सम्यक्त्वं] સમ્યક્ત્વ છે, [तेषाम् अधिगमः] તે જીવાદિ પદાર્થોનો અધિગમ [ज्ञानम्] જ્ઞાન છે અને [रागादिपरिहरणं] રાગાદિનો ત્યાગ [चरणं] ચારિત્ર છે;- [एषः तु] આ જ [मोक्षपथः] મોક્ષનો માર્ગ છે.
ટીકાઃ– મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં, સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન (-પરિણમન) જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે.
ભાવાર્થઃ– આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રધાન કરીને વ્યાખ્યાન છે. તેથી ‘સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે’ એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે-એમ કહેવામાં કાંઇ પણ વિરોધ નથી. માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્યદેવે જ્ઞાનસ્વરૂપ આત્માને ‘જ્ઞાન’ શબ્દથી કહ્યો છે.
હવે એવા જીવોને પરમાર્થ મોક્ષનું કારણ (ખરું મોક્ષનું કારણ) બતાવે છેઃ-