Pravachan Ratnakar (Gujarati). Gatha: 155.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1575 of 4199

 

ગાથા–૧પપ

अथ परमार्थमोक्षहेतुं तेषां दर्शयति–

जीवादीसद्दहणं सम्मत्तं तेसिमधिगमो णाणं।
रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो।। १५५ ।।
जीवादिश्रद्धानं सम्यक्त्वं तेषामधिगमो ज्ञानम्।
रागादिपरिहरणं चरणं एषस्तु मोक्षपथः।। १५५ ।।

હવે એવા જીવોને પરમાર્થ મોક્ષકારણ (ખરું મોક્ષનું કારણ) બતાવે છેઃ-

જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે,
રાગાદિ–વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે. ૧પપ.

ગાથાર્થઃ– [जीवादिश्रद्धानं] જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન [सम्यक्त्वं] સમ્યક્ત્વ છે, [तेषाम् अधिगमः] તે જીવાદિ પદાર્થોનો અધિગમ [ज्ञानम्] જ્ઞાન છે અને [रागादिपरिहरणं] રાગાદિનો ત્યાગ [चरणं] ચારિત્ર છે;- [एषः तु] આ જ [मोक्षपथः] મોક્ષનો માર્ગ છે.

ટીકાઃ– મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં, સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન (-પરિણમન) જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે.

ભાવાર્થઃ– આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રધાન કરીને વ્યાખ્યાન છે. તેથી ‘સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે’ એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે-એમ કહેવામાં કાંઇ પણ વિરોધ નથી. માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્યદેવે જ્ઞાનસ્વરૂપ આત્માને ‘જ્ઞાન’ શબ્દથી કહ્યો છે.

* * *

સમયસાર ગાથા ૧પપઃ મથાળું

હવે એવા જીવોને પરમાર્થ મોક્ષનું કારણ (ખરું મોક્ષનું કારણ) બતાવે છેઃ-