Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1613 of 4199

 

૧પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સોનગઢની છે. પણ ભાઈ! એથી તને શું લાભ છે? દુનિયા પાસે ભગવાનની વાણીનો પોકાર તો આ છે. તને ન બેસે તેથી સત્ય કાંઈ ફરી નહિ જાય. તારે જ સત્યને સમજી ફરવું પડશે.

જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેતવસ્ત્રનો શ્વેત-સ્વભાવ ઢંકાઈ જાય છે તેમ પરભાવસ્વરૂપ મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય નામનો જે કર્મમળ તે વડે મોક્ષના કારણસ્વરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તિરોભૂત થઈ જાય છે. તેથી હવે કહે છે-‘માટે મોક્ષના કારણનું (- સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું-) તિરોધાન કરતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.’ મતલબ કે શુભભાવ-પુણ્યભાવરૂપ કર્મ મોક્ષના કારણનું ઘાતનશીલ હોવાથી ભગવાનની આજ્ઞામાં તેનો નિષેધ કરવામાં આવ્યો છે.

પ્રશ્નઃ– રાગ (-શુભરાગ) મોક્ષના કારણરૂપ સ્વભાવનું નિશ્ચયથી ઘાતક છે, પણ વ્યવહારથી શું? વ્યવહારથી તો વ્યવહાર મોક્ષમાર્ગ છે ને?

ઉત્તરઃ– જુઓ, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય અને શુદ્ધ રત્નત્રયના-સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રના પરિણામ તે વ્યવહાર. આ સદ્ભૂત વ્યવહાર છે. હવે શુદ્ધ રત્નત્રયના પરિણામ સ્વના હોવાથી એને નિશ્ચય કહ્યા તો તેને સહકારી વા નિમિત્ત જે બાહ્ય શુભરાગના પરિણામ તેને વ્યવહારથી વ્યવહારરત્નત્રય વા વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો. આ અસદ્ભૂત વ્યવહાર છે. એનો અર્થ શું? એનો અર્થ જ એ કે વ્યવહારરત્નત્રય મોક્ષમાર્ગ છે જ નહિ, એને મોક્ષમાર્ગ કહેવો એ તો કથનમાત્ર આરોપ-ઉપચાર છે. વાસ્તવમાં તો એ શુદ્ધ રત્નત્રયનો ઘાતક વિરોધી ભાવ જ છે, વેરી જ છે.

‘આત્માવલોકન’માં લીધું છે કે નિશ્ચયથી રાગ જ આત્માનો વેરી છે, કર્મ વેરી નથી. વિકારભાવ છે તે અનિષ્ટ છે અને એક આત્મસ્વભાવ જ ઇષ્ટ છે. વળી, કળશટીકા, કળશ ૧૦૮ માં ત્રણ બોલથી કહ્યું છે તે આવી ગયું કે-વ્યવહારચારિત્ર હોતું થકું તે દ્રુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે.

મૂળ આ પ્રરૂપણાનો ઉપદેશ ઘટી ગયો એટલે લોકોને એમ લાગે કે આ તો બધી નિશ્ચયની વાત છે, નિશ્ચયની વાત છે. પરંતુ ભાઈ! નિશ્ચય એ જ સત્ય છે અને વ્યવહાર તો ઉપચાર છે. છહઢાલામાં ત્રીજી ઢાલમાં પં. શ્રી દોલતરામજીએ કહ્યું ને કે-

‘‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરણ, શિવમગ સો દ્રુવિધ વિચારો;
જો સત્યારથરૂપ સો નિશ્ચય, કારણ સો વ્યવહારો.’’

નિશ્ચયમોક્ષમાર્ગ સત્યાર્થ છે અને એનું કારણ (બાહ્ય નિમિત્ત) વ્યવહાર મોક્ષમાર્ગ અસત્યાર્થ છે. ભાઈ! છહઢાલામાં તો જાણે ગાગરમાં સાગર ભરી દીધો છે! પણ લોકોને આખો દિ દુનિયાદારીની હોળી આડે આ વીતરાગી તત્ત્વને સાંભળવાનો,