Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1629 of 4199

 

૧૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

(शार्दूलविक्रीडित)
यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा
कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः।
किन्त्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तन्–
मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः।। ११० ।।

वा किल का कथा] જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત? (કર્મમાત્ર ત્યાજ્ય છે ત્યાં પુણ્ય સારું અને પાપ ખરાબ-એવી વાતને કયાં અવકાશ છે? કર્મસામાન્યમાં બન્ને આવી ગયાં.) [सम्यक्त्वादिनिजस्वभावभवनात् मोक्षस्य हेतुः भवन्] સમસ્ત કર્મનો ત્યાગ થતાં, સમ્યક્ત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી-પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું, [नैष्कर्म्यप्रतिबद्धम् उद्धतरसं] નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉદ્ધત (-ઉત્કટ) રસ પ્રતિબદ્ધ અર્થાત્ સંકળાયેલો છે એવું [ज्ञानं] જ્ઞાન [स्वयं] આપોઆપ [धावति] દોડયું આવે છે.

ભાવાર્થઃ– કર્મને દૂર કરીને, પોતાના સમ્યક્ત્વાદિસ્વભાવરૂપે પરિણમવાથી મોક્ષના

કારણરૂપ થતું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે, ત્યાં પછી તેને કોણ રોકી શકે? ૧૦૯

હવે આશંકા ઊપજે છે કે-અવિરત સમ્યગ્દ્રષ્ટિ વગેરેને જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે? વળી કર્મ અને જ્ઞાન બન્ને (-કર્મના નિમિત્તે થતી શુભાશુભ પરિણતિ અને જ્ઞાનપરિણતિ બન્ને-) સાથે કેમ રહી શકે? તે આશંકાના સમાધાનનું કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [यावत्] જ્યાં સુધી [ज्ञानस्य कर्मविरतिः] જ્ઞાનની કર્મવિરતિ [सा सम्यक् पाकम् न उपैति] બરાબર પરિપૂર્ણતા પામતી નથી [तावत्] ત્યાં સુધી [कर्मज्ञानसमुच्चयः अपि विहितः, न काचित् क्षतिः] કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે; તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. [किन्तु] પરંતુ [अत्र अपि] અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં [अवशतः यत् कर्म समुल्लसति] અવશપણે (-જબર- દસ્તીથી) જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે [तत् बन्धाय] તે તો બંધનું કારણ થાય છે, અને [मोक्षाय] મોક્ષનું કારણ તો, [एकम् एव परमं ज्ञानं स्थितम्] જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે- [स्वतः विमुक्तं] કે જે જ્ઞાન સ્વતઃવિમુક્ત છે (અર્થાત્ ત્રણે કાળે પરદ્રવ્ય- ભાવોથી ભિન્ન છે).

ભાવાર્થઃ– જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિને બે ધારા રહે છે-શુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા. તે બન્ને સાથે રહેવામાં કાંઈ