Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 164 of 4199

 

પ્રવચન નંબરઃદિનાંકઃ પ્રવચન નંબરઃ દિનાંકઃ
૨૯ ૨૯-૧૨-૭પ ૩૩ ૨-૧૨-૭૬
૩૦ ૩૦-૧૨-૭પ ૩૪ ૩-૧૨-૭૬
૩૧ ૩૧-૧૨-૭પ ૩પ ૪-૧૨-૭૬ અને
૩૨ ૧-૧-૭૬ ૩૬ પ-૧-૭૬

ઃ સમયસાર ગાથા ૧૨ નો ઉપોદ્ધાતઃ

ગાથા ૧૧ માં એમ કહ્યું કે વ્યવહારનય અસત્યાર્થ છે અને નિશ્ચયનય સત્યાર્થ છે. આ આત્મા જે વસ્તુ છે તે દ્રવ્ય, ગુણ, પર્યાય એમ ત્રણે મળીને આખું સત્ છે. તેમાં અનંતગુણનો પિંડ તે દ્રવ્ય, ગુણ એટલે શક્તિ અને પર્યાય કહેતાં અવસ્થા. આ ત્રણે થઈને સત્નું પૂર્ણરૂપ છે એ ત્રણ થઈને એક સત્તાની અપેક્ષાએ બીજા પર પદાર્થોને અસત્ કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તમ્ સત્’ તેમાં ઉત્પાદ-વ્યય તે પર્યાય છે, દ્રવ્ય (અને ગુણ) ત્રિકાળ છે. આ ત્રણ થઈને એક સત્ છે. તેની અપેક્ષાએ બીજા પર પદાર્થો અસત્ છે. આત્મા બીજામાં નહીં અને બીજા પદાર્થો આત્મામાં નહીં એ અપેક્ષાએ બીજા પદાર્થોને અસત્ કહી વ્યવહાર કહ્યો છે.

હવે અહીં એમ કહે છે કે- દ્રવ્યઅનંતગુણોથી અભેદ એક વસ્તુ છે, એવું પર્યાય વિનાનું ત્રિકાળી ધ્રુવ અખંડ એક અભેદ પૂર્ણ દ્રવ્ય જે વસ્તુ તે સત્ છે અને તેની અપેક્ષાએ એક સમયની પર્યાય તે અસત્ છે.

ત્યારે પ્રશ્ન એમ થાય છે કે પર્યાય જે છે તેને અસત્ કેમ કહી? તેનો ખુલાસો એમ છે કે પ્રયોજનવશ મુખ્ય-ગૌણ કરીને આમ કહેવામાં આવ્યું છે. પર્યાય પર્યાયપણે તો છે; એક દ્રવ્યમાં જેમ બીજી ચીજ સર્વથા નથી તેમ આ પર્યાય સર્વથા નથી એમ નથી. જેમ બીજી ચીજ આત્મામાં છે જ નહીં તેમ પર્યાયના સ્વરૂપનું ન સમજવું. પર્યાય પર્યાયપણે તો સત્ છે. પરંતુ ભગવાન પૂર્ણાનંદ-સ્વરૂપ જેને દ્રવ્ય કહીએ, જે અખંડ એક જ્ઞાયકભાવમાત્ર પરમપારિણામિકસ્વભાવભાવરૂપ છે તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ થાય છે. ધર્મ પ્રગટ કરવાનું આ પ્રયોજન સિદ્ધ કરવા ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને મુખ્ય કરીને તેને નિશ્ચય કહી સત્યાર્થ કહેલ છે. જ્યારે વર્તમાન પર્યાયના આશ્રયે સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ થતો નથી, પણ રાગાદિ વિકલ્પ થાય છે તેથી પર્યાયનો આશ્રય છોડાવવા તેને ગૌણ કરીને વ્યવહાર કહી અસત્યાર્થ કહેલ છે. પર્યાયને ગૌણ કરીને એટલે