Pravachan Ratnakar (Gujarati). Gatha: 164-165.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1680 of 4199

 

ગાથા ૧૬૪–૧૬પ

तत्रास्रवस्वरूपमभिदधाति–

मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु।
बहुविहभेया जीवे तस्सेव अणण्णपरिणामा।। १६४ ।।
णाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होंति।
तेसिं पि होदि जीवो य रागदोसादिभावकरो।। १६५ ।।

मिथ्यात्वमविरमणं कषाययोगौ च संज्ञासंज्ञास्तु।
बहुविधभेदा जीवे तस्यैवानन्यपरिणामाः।। १६४ ।।

ज्ञानावरणाद्यस्य ते तु कर्मणः कारणं भवन्ति।
तेषामपि भवति जीवश्च रागद्वेषादिभावकरः।। १६५ ।।

હવે આસ્ત્રવનું સ્વરૂપ કહે છેઃ-

મિથ્યાત્વ ને અવિરત, કષાયો, યોગ સંજ્ઞ અસંજ્ઞ છે,
એ વિવિધ ભેદે જીવમાં, જીવના અનન્ય પરિણામ છે; ૧૬૪.
વળી તેહ જ્ઞાનાવરણઆદિક કર્મનાં કારણ બને,
ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬પ.

ગાથાર્થઃ– [मिथ्यात्वम्] મિથ્યાત્વ, [अविरमणं] અવિરમણ, [कषाययोगौ च] કષાય અને યોગ-એ આસ્રવો [संज्ञासंज्ञाः तु] સંજ્ઞ (અર્થાત્ ચેતનના વિકાર) પણ છે અને અસંજ્ઞ (અર્થાત્ પુદ્ગલના વિકાર) પણ છે. [बहुविधभेदाः] વિવિધ ભેદવાળા સંજ્ઞ આસ્રવો- [जीवे] કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ- [तस्य एव] જીવના જ [अनन्यपरिणामाः] અનન્ય પરિણામ છે. [ते तु] વળી અસંજ્ઞ આસ્રવો [ज्ञानावरणाद्यस्य कर्मणः] જ્ઞાનાવરણ આદિ કર્મનું [कारणं] કારણ (નિમિત્ત) [भवन्ति] થાય છે [च] અને [तेषाम् अपि] તેમને પણ (અર્થાત્ અસંજ્ઞ આસ્રવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં) [रागद्वेषादिभावकरः जीवः] રાગદ્વેષાદિ ભાવ કરનારો જીવ [भवति] કારણ (નિમિત્ત) થાય છે.

ટીકાઃ– આ જીવમાં રાગ, દ્વેષ અને મોહ-એ આસ્ત્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે માટે તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે (-જેમાં ચૈતન્યનો આભાસ છે એવા છે, ચિદ્વિકાર છે).