Pravachan Ratnakar (Gujarati). Gatha: 167.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1704 of 4199

 

ગાથા–૧૬૭

अथ रागद्वेषमोहानामास्रवत्वं नियमयति–

भावो रागादिजुदो जीवेण कदो दु बंधगो भणिदो।
रागादिविप्पमुक्को अबंधगो जाणगो णवरि।। १६७ ।।
भावो रागादियुतो जीवेन कृतस्तु बन्धको भणितः।
रागादिविप्रमुक्तोऽबन्धको ज्ञायकः केवलम्।। १६७ ।।

હવે, રાગદ્વેષમોહ જ આસ્ત્રવ છે એવો નિયમ કરે છેઃ-

રાગાદિયુત જે ભાવ જીવકૃત તેહને બંધક કહ્યો;
રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં, જ્ઞાયક નર્યો. ૧૬૭.

ગાથાર્થઃ– [जीवेन कृतः] જીવે કરેલો [रागादियुतः] રાગાદિયુક્ત [भावः तु] ભાવ [बन्धकः भणितः] બંધક (અર્થાત્ નવાં કર્મનો બંધ કરનાર) કહેવામાં આવ્યો છે. [रागादिविप्रमुक्तः] રાગાદિથી વિમુક્ત ભાવ [अबन्धकः] બંધક નથી, [केवलम् ज्ञायकः] કેવળ જ્ઞાયક જ છે.

ટીકાઃ– ખરેખર, જેમ લોહચુંબક-પાષાણ સાથે સંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ કરવાને) પ્રેરે છે તેમ રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે, અને જેમ લોહચુંબક-પાષાણ સાથે અસંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ નહિ કરવારૂપ) સ્વભાવમાં જ સ્થાપે છે તેમ રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી (અર્થાત્ કર્મ કરવાનો જેનો સ્વભાવ નથી) એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે; માટે રાગાદિ સાથે મિશ્રિત (-મળેલો) અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી બંધક છે અને રાગાદિ સાથે અમિશ્રિત ભાવ સ્વભાવનો પ્રકાશક (-પ્રગટ કરનાર) હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી.

ભાવાર્થઃ– રાગાદિક સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધનો કરનાર છે, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ બંધનો કરનાર નથી-એ નિયમ છે.

* * *