अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो।। १७१।।
अन्यत्वं ज्ञानगुणः तेन तु स बन्धको भणितः।। १७१।।
હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છેઃ-
ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧.
ગાથાર્થઃ– [यस्मात् तु] કારણ કે [ज्ञानगुणः] જ્ઞાનગુણ, [जघन्यात् ज्ञानगुणात्] જઘન્ય જ્ઞાનગુણને લીધે [पुनरपि] ફરીને પણ [अन्यत्वं] અન્યપણે [परिणमते] પરિણમે છે, [तेन तु] તેથી [सः] તે (જ્ઞાનગુણ) [बन्धकः] કર્મનો બંધક [भणितः] કહેવામાં આવ્યો છે.
ટીકાઃ– જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (-ક્ષાયોપશમિકભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. તે (જ્ઞાનગુણનું જઘન્ય ભાવે પરિણમન), યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે અવશ્યંભાવી રાગનો સદ્ભાવ હોવાથી, બંધનું કારણ જ છે.
ભાવાર્થઃ– ક્ષાયોપશમિક જ્ઞાન એક જ્ઞેય પર અંતર્મુહૂત જ થંભે છે, પછી અવશ્ય અન્ય જ્ઞેયને અવલંબે છે; સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દ્રષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હો, -યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય રાગભાવનો સદ્ભાવ હોય છે; અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે.
હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? -તેના ઉત્તરની ગાથા કહે છેઃ-