Pravachan Ratnakar (Gujarati). Gatha: 171.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1731 of 4199

 

ગાથા–૧૭૧

कथं ज्ञानगुणपरिणामो बन्धहेतुरिति चेत्–
जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणमदि।
अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो।। १७१।।
यस्मात्तु जधन्यात् ज्ञानगुणात् पुनरपि परिणमते।
अन्यत्वं ज्ञानगुणः तेन तु स बन्धको भणितः।। १७१।।

હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છેઃ-

જે જ્ઞાનગુણની જઘન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો,
ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧.

ગાથાર્થઃ– [यस्मात् तु] કારણ કે [ज्ञानगुणः] જ્ઞાનગુણ, [जघन्यात् ज्ञानगुणात्] જઘન્ય જ્ઞાનગુણને લીધે [पुनरपि] ફરીને પણ [अन्यत्वं] અન્યપણે [परिणमते] પરિણમે છે, [तेन तु] તેથી [सः] તે (જ્ઞાનગુણ) [बन्धकः] કર્મનો બંધક [भणितः] કહેવામાં આવ્યો છે.

ટીકાઃ– જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (-ક્ષાયોપશમિકભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. તે (જ્ઞાનગુણનું જઘન્ય ભાવે પરિણમન), યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે અવશ્યંભાવી રાગનો સદ્ભાવ હોવાથી, બંધનું કારણ જ છે.

ભાવાર્થઃ– ક્ષાયોપશમિક જ્ઞાન એક જ્ઞેય પર અંતર્મુહૂત જ થંભે છે, પછી અવશ્ય અન્ય જ્ઞેયને અવલંબે છે; સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દ્રષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હો, -યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય રાગભાવનો સદ્ભાવ હોય છે; અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે.

* * *

સમયસાર ગાથા ૧૭૧ઃ મથાળુ

હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? -તેના ઉત્તરની ગાથા કહે છેઃ-