૨૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः।। ११७ ।।
શક્તિને વારંવાર સ્પર્શે છે અર્થાત્ પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા કરે છે. એ રીતે સકળ પરવૃત્તિને ઉખેડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે.
‘બુદ્ધિપૂર્વક’ અને ‘અબુદ્ધિપૂર્વક’નો અર્થ આ પ્રમાણે છેઃ-જે રાગાદિપરિણામ ઇચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે અને જે રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજોરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદિપરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે; સવિકલ્પ દશામાં થતા રાગાદિપરિણામો જ્ઞાનીની જાણમાં છે તોપણ અબુદ્ધિપૂર્વક છે કારણ કે ઇચ્છા વિના થાય છે.
(રાજમલ્લજીએ આ કળશની ટીકા કરતાં ‘બુદ્ધિપૂર્વક’ અને અબુદ્ધિપૂર્વક’નો આ પ્રમાણે અર્થ લીધો છેઃ-જે રાગાદિપરિણામ મન દ્વારા, બાહ્ય વિષયોને અવલંબીને, પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે તેમ જ બીજાને પણ અનુમાનથી જણાય છે તે પરિણામો બુદ્ધિપૂર્વક છે; અને જે રાગાદિપરિણામ ઇંદ્રિયમનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક છે. આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ જણાય છે.) ૧૧૬.
હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ– ‘[सर्वस्याम् एव द्रव्यप्रत्ययसंततौ जीवन्त्यां] જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાસ્રવની સંતતિ વિદ્યમાન હોવા છતાં [ज्ञानी] જ્ઞાની [नित्यम् एव] સદાય [निरास्रवः] નિરાસ્રવ છે [कुतः] એમ શા કારણે કહ્યું?’- [इति चेत् मतिः] એમ જો તારી બુદ્ધિ છે (અર્થાત્ જો તને એવી આશંકા થાય છે) તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે. ૧૧૭.
હવે વળી ફરી પૂછે છે કે-જો આમ છે (અર્થાત્ જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું કારણ છે) તો પછી જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છેઃ-
એકકોર એમ કહો છો કે જેને અંતરસ્વરૂપનો અનુભવ અર્થાત્ સમ્યગ્દર્શન થયું છે તે જ્ઞાની નિરાસ્રવ છે અને વળી પાછા કહો છો કે જ્યાં સુધી જ્ઞાનનું જઘન્ય