Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1786 of 4199

 

સમયસાર ગાથા-૧૭૭-૧૭૮ ] [ ૩૨પ

હવે જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધનયનું માહાત્મ્ય છે માટે શુદ્ધનયના મહિમાનું કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૨૦ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘उद्धतबोधचिन्हम् शुद्धनयम् अध्यास्य’ ઉદ્ધત જ્ઞાન (-કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન) જેનું લક્ષણ છે એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય કરીને...

જુઓ, જે ઉન્નત જ્ઞાન પ્રગટ થાય છે તે ત્રિકાળી દ્રવ્યને જ ગણે છે. જે જ્ઞાનની પર્યાય અંદર દ્રવ્યમાં વળેલી છે એ અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન જાણપણું હોય તેને પણ ગણતું નથી. સ્વના જ્ઞાન વિનાના જ્ઞાનને ઉદ્ધત જ્ઞાન ગણતું નથી. ઉદ્ધત જ્ઞાન બે પ્રકારેઃ-(૧) ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ વસ્તુને ઉદ્ધત જ્ઞાન કહીએ અને (૨) તેને જાણનાર શુદ્ધનયનું પરિણમન તેને પણ ઉદ્ધત જ્ઞાન કહીએ. સ્વના આશ્રયે પ્રગટ થયેલું ભેદજ્ઞાન સ્વને જ ગણે છે. જે જ્ઞાનમાં ભગવાન આત્મા આવતો નથી તે જ્ઞાનને જ્ઞાન જ કહેતા નથી એમ અહીં કહે છે.

આ ઉદ્ધત છોકરો નથી હોતો કોઈ? તે એના બાપને, માને કોઈને ગણતો નથી. તેમ શુદ્ધ ત્રિકાળીને ગ્રહણ કરનાર શુદ્ધનય ઉદ્ધત છે; તે કોઈને ગણતો નથી. સ્વને ગણનારું તે જ્ઞાન કોઈ પરને ગણતું નથી.

ત્રિકાળી જ્ઞાન કોઈથી દબાયું દબે નહિ તેમ ત્રિકાળી જ્ઞાનને જાણનારું-ગણનારું જ્ઞાન પણ કોઈથી દબાયું દબતું નથી. જ્ઞાનાવરણીયનો ઉદય તે જ્ઞાનને દબાવે એમ છે નહિ. જ્ઞાનાવરણીયને લઈને અહીં (આત્મામાં) જ્ઞાનનો ઘટાડો-વધારો થાય એ વાત બીલકુલ નથી. સમ્યગ્જ્ઞાન પોતે શુદ્ધ અલ્પજ્ઞ પર્યાયરૂપ હોવા છતાં તે નિમિત્તને એટલે કે ત્રણલોકના નાથને, રાગને કે અલ્પજ્ઞતાને ગણતું નથી. સમ્યગ્જ્ઞાનની પર્યાયનો નાથ તો અંતરમાં રહેલો પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે; તેને તે ગણે છે કે-આ મારો નાથ છે.

અરે! આત્માની આવી વાત અજ્ઞાનીઓને રુચતી નથી. થોડુંઘણું જાણપણું થાય ત્યાં તો એને થઈ જાય કે હવે આપણે જાણીએ છીએ અને બીજાથી અધિક છીએ. લોકમાં પણ કોઈને થોડું જાણપણું હોય અને બોલતાં આવડતું હોય તો તેને જ્ઞાની કહે છે અને અંદર સમ્યક્ જાણપણું હોય પણ બોલતાં ન આવડતું હોય તો તેને અજ્ઞાની ગણે છે. અહા! લોકની માન્યતામાં જ મોટો ફેર છે.

અહીં કહે છે-શુદ્ધનયનો આશ્રય કરીને ધર્મી-જ્ઞાની સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે. આત્મામાં-સ્વરૂપમાં એકાગ્રતા થવી એ જ વસ્તુ છે. પ્રવચનસારમાં પણ આચાર્ય અમૃતચંદ્રદેવે એ જ કહ્યું છે કે-અમને ઝાઝા ક્ષયોપશમ-જાણપણાની