Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1793 of 4199

 

૩૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

ભાઈ! આ તત્ત્વની વાતનો પરિચય કરી ખૂબ અભ્યાસ કરવો જોઈએ. બાકી તો દિગંબર સાધુ થઈને પંચમહાવ્રત લીધાં, હજારો રાણીઓનો ત્યાગ કર્યો, શરીરની ચામડીને ઉતારીને ખાર છાંટે તોય ક્રોધ ન કર્યો-એવું એવું તો ઘણુંય બધું કર્યું; પણ તેથી શું? આવી ક્રિયાઓ અનંત વાર કરી પણ અંતરમાં એક ક્ષણ માટે સાચો ધર્મ-સમ્યગ્દર્શન પ્રગટ કર્યું નહિ. શુભરાગ-રાગની મંદતાના શુકલ લેશ્યાના પરિણામ અનંતવાર કર્યા પણ રાગથી ભિન્ન પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજની દ્રષ્ટિ કરી નહિ તો જન્મ-મરણના દુઃખનો અંત ન આવ્યો. છહઢાલામાં શ્રી દોલતરામજીએ કહ્યું છે ને કે-

‘‘મુનિવ્રત ધાર અનંતવાર, ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.’’

સ્વર્ગમાં ગ્રીવાના સ્થાને નવ પાટડા છે. ત્યાં પુણ્ય કરીને અનંતવાર જન્મ લીધો પણ રાગથી ખસીને શુદ્ધ ચૈતન્યસ્વભાવનો અનુભવ કદી કર્યો નહિ તો લેશ પણ સુખ ન થયું અર્થાત્ દુઃખ જ થયું. ભાઈ! પંચમહાવ્રતાદિના પાલનનો રાગ પણ આસ્રવ અને દુઃખ જ છે. છહઢાલામાં કહ્યું છે કે-

‘‘રાગ આગ દહૈ સદા, તાતૈ સમામૃત સેઈએ.’

શુભરાગ છે તે પણ આગ છે કેમકે તે કષાય છે ને! આત્માને કષે એટલે દુઃખ દે એ શુભરાગ કષાય છે.

* કળશ ૧૨૧ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘શુદ્ધનયથી ચ્યુત થવું એટલે ‘‘હું શુદ્ધ છું’’ એવા પરિણમનથી છૂટીને અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ બની જવું તે.’ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થવો તે શુદ્ધનય છે. તેનાથી ચ્યુત થવું એટલે પૂર્ણાનંદના નાથની જે દ્રષ્ટિ થઈ હતી તે છૂટીને હું રાગ છું, પુણ્ય છું -એવી દ્રષ્ટિ થવી અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ બની જવું તે.

આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ અતીન્દ્રિય મહાપદાર્થ છે. એવા ચૈતન્યમહાપ્રભુની અંતર્દ્રષ્ટિપૂર્વક જેને અનુભવ થયો તેને શુદ્ધનયનું ગ્રહણ થયું અને હું શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ આત્મા છું એવું જે અતીન્દ્રિય આનંદનું પરિણમન એનાથી ભ્રષ્ટ થઈ રાગની એકતાના અશુદ્ધ પરિણમનમાં આવી જવું તેને શુદ્ધનયથી ભ્રષ્ટ થવું કહે છે. ‘એમ થતાં જીવને મિથ્યાત્વસંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે, તેથી દ્રવ્યાસ્રવો કર્મબંધનાં કારણ થાય છે અને તેથી અનેક પ્રકારનાં કર્મ બંધાય છે.’ પુણ્યના પરિણામ મને લાભદાયક છે એવી મિથ્યા માન્યતાથી પરિણમતાં અનંતાનુબંધી રાગદ્વેષ ઉત્પન્ન