Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 183 of 4199

 

૧૭૬ [ સમયસાર પ્રવચન

વ્યવહારનય હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે તોપણ ‘चित्चमत्कारमात्रं परविरहितं परमं अर्थं अन्तः पश्यताम्’ જે પુરુષો ચૈતન્ય-ચમત્કારમાત્ર, પરદ્રવ્યોના ભાવોથી રહિત શુદ્ધનયના વિષયભૂત પરમ ‘અર્થ’ને એટલે જ્ઞાયક પરમાત્માને અંતરંગમાં અવલોકે છે, પ્રત્યક્ષ તેની શ્રદ્ધા કરે છે તથા તદ્રૂપ લીન થઈને ચારિત્રભાવને પ્રાપ્ત કરે છે તેમને ‘एषः’ એ વ્યવહારનય ‘किञ्चित् न’ કાંઈ પણ પ્રયોજનવાન નથી, એટલે પછી તેમને વ્યવહાર હોતો નથી.

આગળ ૪૧પ ગાથાની ટીકામાં આવે છે કે- ‘અર્થથી અને તત્ત્વથી જાણીને, તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરમ બ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સ્થિત થશે,.. .’ તત્ત્વથી અને અર્થથી જાણીને એટલે તત્ત્વને જાણે ભલે, પણ અર્થ નામ પદાર્થ છે જે ત્રિકાળી ધ્રુવ એમાં ઠરે છે જે, તે મોક્ષને પ્રાપ્ત કરશે, તે પરમસુખરૂપ પરિણમશે, સુખરૂપ થઈ જશે. તત્ત્વ એટલે પદાર્થનો ભાવ, અર્થ એટલે પદાર્થ ભાવવાન. ભાવવાનને એના ભાવથી જાણીને તેના અર્થભૂત પૂર્ણવિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સ્થિત થશે તે આત્મા સાક્ષાત્ તત્ક્ષણ પ્રગટ થતા એક ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ હોવાને લીધે અનાકુળતા- લક્ષણ એવા સૌખ્યરૂપે પોતે જ થઈ જશે. અહીં કળશમાં પરવિરહિત એટલે રાગાદિ પરભાવોથી ભિન્ન જે પરમ ‘અર્થ,’ ચૈતન્યચમત્કારમાત્ર ધ્રુવ સ્વભાવભાવ-જ્ઞાયકભાવ પદાર્થ તેને ‘अन्तः पश्यतां’ -જેઓ અંતરંગમાં અવલોકે છે, તદ્રૂપ લીન થઈને પૂર્ણ વીતરાગતાને પ્રાપ્ત થાય છે, પરમ સૌખ્યરૂપે પરિણમે છે તેમને કોઈ વ્યવહાર રહેતો નહીં હોવાથી વ્યવહાર પ્રયોજનવાન નથી એમ કહ્યું છે.

કેટલાક લોકો ‘વ્યવહાર કાર્યકારી છે’ એનો અર્થ એમ કરે છે કે વ્યવહાર કામનો છે અને આદરવા જેવો છે. તેમનો એ અર્થ (સમજ) બરાબર નથી. વ્યવહાર કાર્યકારી છે એટલે જે તે કાળે વ્યવહાર હોય છે અને તે જાણવા લાયક છે. સાધકને (શુદ્ધનયનો) પૂર્ણ આશ્રય નથી, પણ આશ્રય શરૂ થઇ ગયો છે તે કાળમાં પર્યાયમાં આવો વ્યવહાર હોય છે, તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે.

કળશ પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચનઃ

શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધનય કાંઈપણ પ્રયોજનકારી નથી. જોયું? વ્યવહારનયને અશુદ્ધ કહ્યો, અશુદ્ધ શબ્દ વાપર્યો છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પોતે છે એ તો શુદ્ધનયનો વિષય છે. અને એનાં શ્રદ્ધા-જ્ઞાન થવા છતાં પૂર્ણતા નથી એને વચમાં વ્યવહાર આવે છે એને અશુદ્ધનય કહ્યો છે. ૧૬મી ગાથામાં આવે છે કે દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય ઉપર લક્ષ જવું તે મેચક છે,