कथं भेदविज्ञानादेव शुद्धात्मोपलम्भ इति चेत्–
तह कम्मोदयतविदो ण जहदि णाणी दु णाणित्तं।। १८४।।
अण्णाणतमोच्छण्णो आदसहावं अयाणंतो।। १८५।।
तथा कर्मोदयतप्तो न जहाति ज्ञानी तु ज्ञानित्वम्।। १८४।।
एवं जानाति ज्ञानी अज्ञानी मनुते रागमेवात्मानम्।
अज्ञानतमोऽवच्छन्नः आत्मस्वभावमजानन्।। १८५।।
હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) કઈ રીતે થાય છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
ત્યમ કર્મઉદયે તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪.
આત્મસ્વભાવ–અજાણ જે અજ્ઞાનતમ–આચ્છાદને. ૧૮પ.
ગાથાર્થઃ– [यथा] જેમ [कनकम्] સુવર્ણ [अग्नितप्तम् अपि] અગ્નિથી તપ્ત થયું થકું પણ [तं] તેના [कनकभावं] સુવર્ણપણાને [न परित्यजति] છોડતું નથી [तथा] તેમ [ज्ञानी] જ્ઞાની [कर्मोदयतप्तः तु] કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ [ज्ञानित्वम्] જ્ઞાનીપણાને [न जहाति] છોડતો નથી.- [एवं] આવું [ज्ञानी] જ્ઞાની [जानाति] જાણે છે, અને [अज्ञानी] અજ્ઞાની [अज्ञानतमोऽवच्छन्नः] અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત હોવાથી [आत्मस्वभावम्] આત્માના સ્વભાવને [अजानन्] નહિ જાણતો થકો [रागम् एव] રાગને જ [आत्मानम्] આત્મા [मनुते] માને છે.
ટીકાઃ– જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના (ભેદવિજ્ઞાનના) સદ્ભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છેઃ-જેમ પ્રચંડ અગ્નિ વડે તપ્ત થયું