Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1872 of 4199

 

સમયસાર ગાથા-૧૮૬ ] [ ૪૧૧

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૨૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘यदि’ જો ‘कथमपि’ કોઈ પણ રીતે-તીવ્ર પુરુષાર્થ કરીને એટલે કે રાગથી ભિન્ન પડીને અંતર્દ્રષ્ટિ વડે ‘धारावाहिना बोधनेन’ ધારાવાહી જ્ઞાનથી-જેમ પાણીની ધાર ધારાવાહી છે તેમ રાગથી ભિન્ન પડેલું જ્ઞાન અખંડ ધારાવાહી જ્ઞાન છે તે વડે ‘शुद्धम् आत्मानम्’ શુદ્ધ આત્માને ‘ध्रुवम् उपलभमानः आस्ते’ નિશ્ચળપણે અનુભવ્યા કરે-એટલે કે હું પરમ શુદ્ધ પવિત્ર વીતરાગસ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છું એમ જે નિરંતર ધારાવાહી અનુભવ્યા કરે ‘तत्’ તો ‘अयम् आत्मा’ આ આત્મા ‘उदयत्–आत्म–आरामम् आत्मानम्’ જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે એવા આત્માને ‘परपरिणतिरोधात्’ પર પરિણતિના નિરોધથી-રાગની દશાને રોકીને ‘शुद्धम् एव अभ्युपैति’ શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. લ્યો, આ બહુ ટૂંકામાં કહ્યું કે જ્ઞાની અખંડધારાવાહી જ્ઞાનમય પરિણમનથી નિરંતર શુદ્ધ આત્માને અનુભવતો થકો રાગનો-વિકલ્પનો નિરોધ કરીને શુદ્ધ આત્માને જ પ્રાપ્ત કરે છે. આનું નામ સંવર છે.

* કળશ ૧૨૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગદ્વેષમોહરૂપ પરપરિણતિનો (ભાવાસ્રવોનો) નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.’ રાગની એકતાબુદ્ધિમાં ધારાવાહી અશુદ્ધતાનો-પુણ્ય-પાપરૂપ વિકારનો અનુભવ હતો અને જ્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડી શુદ્ધ આત્માને અનુભવવા લાગ્યું ત્યાં ધારાવાહી જ્ઞાનમય પરિણમન થયું, અને ત્યારે પુણ્યપાપરૂપ ભાવાસ્રવો અટકી જવાથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. અહો! આવું ભેદજ્ઞાન અલૌકિક વસ્તુ છે.

અહા! આવા જ્ઞાનના સ્વરૂપને સમજ્યા વિના કોઈ માને કે અમે ધર્મ કરીએ છીએ તો તે બાહ્ય વ્રત, તપ, ત્યાગ આદિ ક્રિયાકાંડને જ જૈનધર્મ માને છે. તે માને છે કે વીતરાગનો ધર્મ નિવૃત્તિમય છે માટે જેટલી બાહ્ય પ્રવૃત્તિ મટીને નિવૃત્તિ થાય તેટલો ધર્મ. પણ ભાઈ! આ બધો ભ્રમ છે. સમકિત વિના કોઈ વ્રત કે તપ સાચાં હોતાં નથી. (રાગની રુચિથી નિવર્તવું તે સૌ પ્રથમ ધર્મ છે અને તેના વિના વ્રતાદિ સાચાં હોતાં નથી).

અહીં કહે છે-જ્યાં અંતરમાં રાગથી જ્ઞાન ભિન્ન પડયું ત્યાં શુદ્ધતાના પરિણમનની - જ્ઞાનમય પરિણમનની ધારા અખંડધારાવાહી ચાલે છે. ભલે સાથે કાંઈક અશુદ્ધતાનું પરિણમન હોય, પરંતુ શુદ્ધતાની ધારા તો નિરંતર ચાલે છે. અહાહા...! જ્ઞાનાનંદ-