Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1886 of 4199

 

સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૨પ

(अनुष्टुभ्)
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। १३१।।

(मन्दाक्रान्ता)
भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भा–
द्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण।
बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं
ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत्।। १३२।।

શ્લોકાર્થઃ– [ये केचन किल सिद्धाः] જે કોઈ સિદ્ધ થયા છે [भेदविज्ञानतः सिद्धाः]

તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; [ये केचन किल बद्धाः] જે કોઈ બંધાયા છે [अस्य एव अभावतः बद्धाः] તે તેના જ (-ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.

ભાવાર્થઃ– અનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી તે

કર્મથી બંધાયા જ કરે છે-સંસારમાં રઝળ્‌યા જ કરે છે; જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે-મોક્ષ પામે જ છે. માટે કર્મબંધનું-સંસારનું-મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી.

અહીં આમ પણ જાણવું કે-વિજ્ઞાનાદ્વૈતવાદી બોદ્ધો અને વેદાન્તીઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે તેમનો, ભેદવિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી, નિષેધ થયો; કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં જેઓ સર્વથા અદ્વૈત માને છે તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી; જ્યાં દ્વૈત જ-બે વસ્તુઓજ - માનતા નથી ત્યાં ભેદવિજ્ઞાન શાનું? જો જીવ અને અજીવ-બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદવિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે સ્યાદ્વાદીઓને જ બધુંય નિર્બાધપણે સિદ્ધ થાય છે. ૧૩૧.

હવે, સંવર અધિકાર પૂર્ણ કરતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [भेदज्ञान–उच्छलन–कलनात्] ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી [शुद्धतत्त्व–उपलम्भात्] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી [राग– ग्रामप्रलयकरणात्] રાગના સમૂહનો વિલય થયો, રાગના સમૂહનો વિલય કરવાથી