Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 191 of 4199

 

૧૮૪ [ સમયસાર પ્રવચન

જ્ઞાનપણે રહીને પરને જાણે છે. પરને જાણતાં પર-જ્ઞેયાકારે જ્ઞાન થયું એમ કહેવાય, પણ તે જ્ઞાનપણું છોડીને જ્ઞેયાકાર થઈ ગયું છે એમ નથી. ભગવાન આત્મા જે પૂર્ણ ચૈતન્યજ્યોતિ તેનું જ્ઞાન જ્ઞેય પદાર્થોના આકારે હોવા છતાં જ્ઞાનગુણપણે જ રહે છે, પરજ્ઞેયપણે થતું નથી એ પ્રમાણે યથાર્થ જાણી પૂર્ણ ચૈતન્યસ્વરૂપ આત્માનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે.

હવે સૂત્રકાર ગાથામાં કહે છે કે ત્રિકાળી જ્ઞાયકભાવને, જ્ઞાયક, જ્ઞાયક,.. જ્ઞાયકસામાન્યને શુદ્ધનયથી જાણવો એ સમ્યગ્દર્શન છે.

*