आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं।।
એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યક્ત્વ છે એમ સૂત્રકાર ગાથામાં કહે છેઃ -
આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે. ૧૩.
ગાથાર્થઃ– [भूतार्थेन अभिगताः] ભૂતાર્થ નયથી જાણેલ [जीवाजीवौ] જીવ, અજીવ [च] વળી [पुण्यपापं] પુણ્ય, પાપ [च] તથા [आस्रवसंवरनिर्जराः] આસ્રવ, સંવર, નિર્જરા, [बन्धः] બંધ [च] અને [मोक्षः] મોક્ષ [सम्यक्त्वम्] -એ નવ તત્ત્વ સમ્યક્ત્વ છે.
ટીકાઃ– આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે. (-એ નિયમ કહ્યો); કારણ કે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર)- નયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો- જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે-તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી, શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ-કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે- તેની પ્રાપ્તિ હોય છે. (શુદ્ધનયથી નવતત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો.) ત્યાં, વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-એ બન્ને પુણ્ય છે, તેમ જ એ બન્ને પાપ છે, આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ