Pravachan Ratnakar (Gujarati). Gatha: 193.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1915 of 4199

 

] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

उवभोगमिंदियेहिं दव्वाणमचेदणाणमिदराणं।
जं
कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं।। १९३।।
उपभोगमिन्द्रियैः द्रव्याणामचेतनानामितरेषाम्।
यत्करोति सम्यग्द्रष्टिः तत्सर्व निर्जरानिमित्तम्।। १९३।।

હવે, સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યગ્જ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્યદેવ મંગળ અર્થે પ્રથમ તેને જ-નિર્મળ જ્ઞાનજ્યોતિને જ-પ્રગટ કરે છેઃ-

શ્લોકાર્થઃ– [परः संवरः] પરમ સંવર, [रागादि–आस्रव–रोधतः] રાગાદિ આસ્રવોને રોકવાથી [निज–धुरां धृत्वा] પોતાની કાર્ય-ધુરાને ધારણ કરીને (-પોતાના કાર્યને બરાબર સંભાળીને), [समस्तम् आगामि कर्म] સમસ્ત આગામી કર્મને [भरतः दूरात् एव] અત્યંતપણે દૂરથી જ [निरुन्धन् स्थितः] રોકતો ઊભો છે; [तु] અને [प्राग्बद्धं] જે પૂર્વે (સંવર થયા પહેલાં) બંધાયેલું કર્મ છે [तत् एव दग्धुम्] તેને બાળવાને [अधुना] હવે [निर्जरा व्याजृम्भते] નિર્જરા (-નિર્જરારૂપી અગ્નિ-) ફેલાય છે [यतः] કે જેથી [ज्ञानज्योतिः] જ્ઞાનજ્યોતિ [अपावृतं] નિરાવરણ થઈ થકી (ફરીને) [रागादिभिः न हि मूर्छति] રાગાદિભાવો વડે મૂર્છિત થતી નથી-સદા અમૂર્છિત રહે છે.

ભાવાર્થઃ–સંવર થયા પછી નવાં કર્મ તો બંધાતા નથી. જે પૂર્વે બંધાયાં હતાં તે કર્મો જ્યારે નિર્જરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદિરૂપે પરિણમતું નથી-સદા પ્રકાશરૂપ જ રહે છે. ૧૩૩.

હવે દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહે છેઃ-

ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇંદ્રિયો વડે;
જે જે કરે સુદ્રષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને.
૧૯૩.

ગાથાર્થઃ– [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ જીવ [यत्] જે [इन्द्रियैः] ઇંદ્રિયો વડે [अचेतनानाम्] અચેતન તથા [इतरेषाम्] ચેતન [द्रव्याणाम्] દ્રવ્યોનો [उपभोगम्] ઉપભોગ [करोति] કરે છે [तत् सर्व] તે સર્વ [निर्जरानिमित्तम्] નિર્જરાનું નિમિત્ત છે.

ટીકાઃ– વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે (અર્થાત્ નિર્જરાનું કારણ થાય છે). રાગાદિભાવોના સદ્ભાવથી મિથ્યાદ્રષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે; તે જ (ઉપભોગ), રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દ્રષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે; આથી (આ કથનથી) દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહ્યું.

ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહ્યો છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે; માટે સમ્યગ્દ્રષ્ટિ વિરાગી છે. તેને ઇંદ્રિયો વડે ભોગ હોય તોપણ તેને ભોગની