૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
સમકિતીનો ભોગોપભોગ નિર્જરાનું નિમિત્ત જ કહ્યો છે હોં, કારણ કે જે દ્રવ્ય- નિર્જરા થાય છે તે તો તેના કારણે-કર્મના પરમાણુઓના કારણે-જ થાય છે. જ્ઞાની, રાગભાવને પોતાનો માનતો નથી માટે તેનો વિરાગભાવ નિર્જરાનું નિમિત્ત થાય છે અને પૂર્વનું જે કર્મ ઉદયમાં આવ્યું તે ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે.
[પ્રવચન નં. ૨૬૩-૨૬૪*દિનાંક ૧૬-૧૨-૭૬ અને ૧૭-૧૨-૭૬]