क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्।
किमपरमभिदध्मो धाम्नि
__________________________________________________________________ થયા પછી પ્રમાણાદિનું આલંબન રહેતું નથી. ત્યાર પછી ત્રીજી સાક્ષાત્ સિદ્ધ અવસ્થા છે ત્યાં પણ કાંઈ આલંબન નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપોનો અભાવ જ છે.
એ અર્થનો કલશરૂપ શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ– આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે -[अस्मिन् सर्वङ्कषे धाम्नि अनुभवम् उपयाते] આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્ય-ચમત્કારમાત્ર તેજઃપુંજ આત્મા, તેનો અનુભવ થતાં [नयश्रीः न उदयति] નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, [प्रमाणं अस्तम् एति] પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે [अपि च] અને [निक्षेपचक्रम् क्वचित याति, न विद्मः] નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. [किम् अपरम् अभिदध्मः] આથી અધિક શું કહીએ? [द्वैतम् एव न भाति] દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી.
ભાવાર્થઃ– ભેદને અત્યંત ગૌણ કરીેને કહ્યું છે કે -પ્રમાણ, નયાદિ ભેદની તો વાત જ શી? શુદ્ધ અનુભવ થતાં દ્વૈત જ ભાસતું નથી, એકાકાર ચિન્માત્ર જ દેખાય છે.
અહીં વિજ્ઞાનદ્વૈતવાદી તથા વેદાંતી કહે છે કે- છેવટ પરમાર્થરૂપ તો અદ્વૈતનો જ અનુભવ થયો. એ જ અમારો મત છે; તમે વિશેષ શું કહ્યું? એનો ઉત્તરઃ- તમારા મતમાં સર્વથા અદ્વૈત માનવામાં આવે છે. જો સર્વથા અદ્વૈત માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય, અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા મતમાં નયવિવક્ષા છે તે બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી. જ્યારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય છે ત્યારે આત્મા પરમાનંદને પામે છે તેથી અનુભવ કરાવવા માટે “શુદ્ધ અનુભવમાં દ્વૈત ભાસતું નથી” એમ કહ્યું છે. જો બાહ્ય વસ્તુનો લોપ કરવામાં આવે તો આત્માનો પણ લોપ થઈ જાય અને શૂન્યવાદનો પ્રસંગ આવે. માટે તમે કહો છો તે પ્રમાણે વસ્તુસ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી, અને વસ્તુસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ