Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 197 of 4199

 

૧૯૦ [ સમયસાર પ્રવચન

(उपजाति)

आत्मस्वभावं परभावभिन्न–
मापूर्णमाद्यन्तविमुक्तमेकम्।
विलीनसङ्कल्पविकल्पजालं
प्रकाशयन् शुद्धनयोडभ्युदेति।।
१०।।

__________________________________________________________________ કરવામાં આવે તે પણ મિથ્યારૂપ છે; શૂન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે. ૯.

આગળ શુદ્ધનયનો ઉદય થાય છે તેની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-

શ્લોકાર્થઃ– [शुद्धनयः आत्मस्वभावं प्रकाशयन् अभ्युदेति] શુદ્ધનય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. તે આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે? [परभावभिन्नम्] પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો-એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. વળી તે, [आपूर्णम] આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે-સમસ્ત લોકાલોકને જાણનાર છે-એમ પ્રગટ કરે છે; (કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મસંયોગથી છે, શુદ્ધનયમાં કર્મ ગૌણ છે). વળી, તે [आदि –अन्त– विमुक्तम्] આત્મસ્વભાવને આદિ-અંતથી રહિત પ્રગટ કરે છે. (અર્થાત્ કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને કયારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે). વળી તે, [एकम्] આત્મસ્વભાવને એક-સર્વ ભેદભાવોથી (દ્વૈતભાવોથી) રહિત એકાકાર-પ્રગટ કરે છે, અને [विलीन – सङ्कल्प–विकल्प–जालं] જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. (દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુદ્ગલદ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે અને જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ થવો તેને વિકલ્પ કહે છે.) આવો શુદ્ધનય પ્રકાશરૂપ થાય છે. ૧૦.