Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1968 of 4199

 

સમયસાર ગાથા-૧૯૭ ] [ પપ અંતરમાં મહિમા થવાથી સ્વરૂપ પ્રતિ ઢલણ-વલણ થયું છે એવા સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાન અને વૈરાગ્ય બન્ને શક્તિ હોય છે. હવે તેનું કારણ કહે છે કે-

‘यस्मात्’ કારણ કે ‘अयं’ તે (સમ્યગ્દ્રષ્ટિ જીવ) ‘स्व–अन्य–रूप–आप्ति–

मुक्तया’ સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે ‘स्वं वस्तुत्वं कलयितुम्’ પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવા માટે, ‘इदं स्वं च परं’ ‘આ સ્વ છે અને આ પર છે’ ‘व्यतिकरम्’ એવો ભેદ ‘तत्त्वतः’ પરમાર્થે ‘ज्ञात्वा’ જાણીને ‘स्वस्मिन् आस्ते’ સ્વમાં રહે છે અને ‘परात् रागयोगात्’ પરથી-રાગના યોગથી ‘सर्वतः’ સર્વ પ્રકારે ‘विरमति’ વિરમે છે.

પ્રથમ કરવાનું હોય તો આ છે કે સ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ; અને તે બન્ને સાથે જ હોય છે. શ્રીમદ્ રાજચંદ્રે ટૂંકામાં કહ્યું છે કે-‘તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું.’ પોતાના સ્વરૂપને ભૂલીને પરને પોતાનું માનવું એ મહા અપરાધ છે અને તે પોતાનો અપરાધ છે, કોઈ કર્મને લઈને છે એમ નથી. સંવર અધિકારમાં આવે છે કે-

भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।

જેઓ મુક્તિપદને પામ્યા છે તે રાગથી ભિન્ન પડીને ભેદવિજ્ઞાનથી (મુક્તિ) પામ્યા છે અને જેઓ બંધાયેલા છે તેઓ ભેદવિજ્ઞાનના અભાવને લીધે જ બંધાયેલા છે. (કર્મને કારણે બંધાયેલા છે એમ નહિ).

ભેદવિજ્ઞાનથી મુક્તિ પામ્યા છે એનો અર્થ એ આવ્યો કે વ્યવહારના રાગથી ભિન્ન પડીને મુક્તિ પામ્યા છે, પણ વ્યવહારના રાગથી મુક્તિ પામ્યા છે એમ નહિ. ભાઈ! રાગ છે; અને તેને જાણનાર વ્યવહારનય પણ છે. વ્યવહારનયનો વિષય જ નથી એમ કોઈ કહે તો તે યથાર્થ નથી; પરંતુ તે આશ્રય કરવા લાયક નથી એમ વાત છે, તેને હેય તરીકે જાણવાલાયક છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા જ એક આશ્રય કરવા લાયક ઉપાદેય છે.

ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ઠસોઠસ ભરેલો સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે; તે સદાય વીતરાગસ્વભાવી અકિંચનસ્વરૂપ છે. દશ ધર્મમાં આકિંચન્ય ધર્મ આવે છે ને? એ તો પ્રગટ અવસ્થાની વાત છે. જ્યારે આ તો આત્માનું સ્વરૂપ જ અકિંચન છે એમ વાત છે. આવા નિજસ્વરૂપનું ગ્રહણ અને પરના ત્યાગ કરવાની વિધિ વડે સમ્યગ્દ્રષ્ટિ સ્વમાં ટકે છે અને પરથી-રાગથી વિરમે છે. જુઓ! આ વિધિ! પૂર્ણાનંદસ્વરૂપનું ગ્રહણ અને દુઃખરૂપ રાગનો-અશુદ્ધતાનો ત્યાગ એ વિધિ છે. એકલી બહારની ચીજ ત્યાગી