सम्यग्द्रष्टिः सामान्येन स्वपरावेवं तावज्जानाति–
ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेक्को।। १९८।।
न तु ते मम स्वभावाः ज्ञायकभावस्त्वहमेकः।। १९८।।
હવે પ્રથમ, સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ ગાથામાં કહે છેઃ-
તે મુજ સ્વભાવો છે નહિ, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮.
ગાથાર્થઃ– [कर्मणां] કર્મોના [उदयविपाकः] ઉદયનો વિપાક (ફળ) [जिनवरैः] જિનવરોએ [विविधः] અનેક પ્રકારનો [वर्णितः] વર્ણવ્યો છે [ते] તે [मम स्वभावाः] મારા સ્વભાવો [न तु] નથી; [अहम् तु] હું તો [एकः] એક [ज्ञायकभावः] જ્ઞાયકભાવ છું.
ટીકાઃ–જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું.
ભાવાર્થઃ–આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દ્રષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકસ્વભાવ જ જાણે છે.
હવે પ્રથમ, સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ ગાથામાં કહે છેઃ-
‘જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી;...’