સમયસાર ગાથા-૨૦૦ ] [ ૯૧ બસ ક્રિયાઓમાં લવલીન છે; પણ ભાઈ! એ વડે ધર્મ નહિ થાય, એનાથી સંસાર નહિ ટળે.
વળી ‘પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તે તે વળી સમ્યગ્દ્રષ્ટિ કેવો? કારણ કે જ્યાંસુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાંસુધી ચારિત્રમોહના રાગથી બંધ તો થાય જ છે અને જ્યાંસુધી રાગ રહે ત્યાંસુધી સમ્યગ્દ્રષ્ટિ તો પોતાની નિંદા-ગર્હા કરતો જ રહે છે.’
અહા! મને રાગેય નથી ને બંધનેય નથી એમ માની જે સ્વચ્છંદે પ્રવર્તે છે એ તો સમકિતી છે જ નહિ. સમકિતીને તો જ્યાં સુધી પૂર્ણ વીતરાગતારૂપ યથાખ્યાત ચારિત્ર- જેવું સ્વરૂપ પૂર્ણ વીતરાગ છે તેવું પ્રસિદ્ધ વીતરાગ ચારિત્ર-ન થાય ત્યાં સુધી રાગ રહે જ છે અને બંધ પણ થાય જ છે. વળી તેને જ્યાં સુધી રાગ રહે છે ત્યાં સુધી એની નિંદા- ગર્હા કરતો જ રહે છે. રાગ થાય તો કાંઈ વાંધો નહિ એમ સમકિતીને ન હોય. અરે! તેને શુભભાવ થાય એની પણ તે નિંદા-ગર્હા કરતો જ રહે છે. જોકે નિંદા-ગર્હા છે તો શુભભાવ, પણ તે સમકિતીને હોય જ છે કેમકે તેને રાગમાં હેયબુદ્ધિ છે. મોક્ષ અધિકારમાં નિંદા-ગર્હા એ શુભભાવ છે અને તે વિષનો ઘડો છે એમ કહ્યું છે. પણ સમકિતીને રાગ પ્રતિ નિંદા-ગર્હાનો ભાવ આવે જ છે. હવે કહે છે-
‘જ્ઞાન થવા માત્રથી બંધથી છૂટાતું નથી, જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપ- શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ કપાય છે. માટે રાગ હોવા છતાં, બંધ થતો નથી-એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તનાર જીવ મિથ્યાદ્રષ્ટિ જ છે.’
શું કહ્યું આ? કે જ્ઞાન થયા પછી તેમાં જ-શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ લીનતારૂપ- શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ કપાય છે. જોયું? જ્ઞાનાનંદસ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધોપયોગ છે અને તે શુદ્ધોપયોગ ચારિત્ર છે. પણ મહાવ્રતના પરિણામ કાંઈ ચારિત્ર નથી; ચારિત્ર તો શુદ્ધોપયોગરૂપ પરિણામ છે. અજ્ઞાનીની વાતે-વાતે ફેર છે. અજ્ઞાની તો મહાવ્રતના- રાગના પરિણામને ચારિત્ર માને છે. પણ અહીં તો ત્રણ વાત કહી-
૧. જ્ઞાનાનંદસ્વભાવી નિજ આત્મસ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધોપયોગ છે. ૨. તે શુદ્ધોપયોગરૂપ ચારિત્ર છે. અને ૩. આવા શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ કપાય છે, પરંતુ મહાવ્રતના પરિણામ કે નગ્નપણું ચારિત્ર નથી અને તે વડે બંધ કપાય છે એમ પણ નથી. અહો! જયચંદજીએ કેવો સરસ ખુલાસો કર્યો છે!
કહે છે-જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું સ્વસંવેદન પ્રગટ થયા પછી તેમાં જ લીનતારૂપ શુદ્ધોપયોગ પ્રગટ કરે તે ચારિત્ર છે. સ્વરૂપમાં ચરે-રમે તે ચારિત્ર છે.