ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि।। २०१।।
अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणंतो।
कह होदि सम्मदिट्ठी जीवाजीवे अयाणंतो।। २०२।।
नापि स जानात्यात्मानं तु सर्वागमधरोऽपि।। २०१।।
आत्मानमजानन् अनात्मानं चापि सोऽजानन्।
कथं भवति सम्यग्द्रष्टिर्जीवाजीवावजानन्।।
તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧.
નહિ જાણતો જ્યાં આત્મને જ, અનાત્મ પણ નહિ જાણતો,
તે કેમ હોય સુદ્રષ્ટિ જે જીવ–અજીવને નહિ જાણતો? ૨૦૨.
अपि] પરમાણુમાત્ર-લેશમાત્ર-પણ રાગાદિક [विद्यते] વર્તે છે [सः] તે જીવ [सर्वागमधरः अपि] ભલે સર્વ આગમ ભણેલો હોય તોપણ [आत्मानं तु] આત્માને [न अपि जानाति] નથી જાણતો; [च] અને [आत्मानम्] આત્માને [अजानन्] નહિ જાણતો થકો [सः] તે [अनात्मानं अपि] અનાત્માને (પરને) પણ [अजानन्] નથી જાણતો; [जीवाजीवौ] એ રીતે જે જીવ અને અજીવને [अजानन्] નથી જાણતો તે [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [कथं भवति] કેમ હોઈ શકે?
ટીકાઃ– જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ છે તે ભલે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો; અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા-એ બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે;