Pravachan Ratnakar (Gujarati). Gatha: 201-202.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2021 of 4199

 

ગાથા ૨૦૧–૨૦૨
कथं रागी न भवति सम्यग्द्रष्टिरिति चेत्–
परमाणुमित्तयं पि हु रागादीणं तु विज्जदे जस्स।
ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि।। २०१।।
अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणंतो।
कह होदि सम्मदिट्ठी जीवाजीवे अयाणंतो।। २०२।।
परमाणुमात्रमपि खलु रागादीनां तु विद्यते यस्य।
नापि स जानात्यात्मानं तु सर्वागमधरोऽपि।। २०१।।
आत्मानमजानन् अनात्मानं चापि सोऽजानन्।
कथं भवति सम्यग्द्रष्टिर्जीवाजीवावजानन्।।
२०२।।
હવે પૂછે છે કે રાગી (જીવ) કેમ સમ્યગ્દ્રષ્ટિ ન હોય? તેનો ઉત્તર કહે છેઃ-
અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને,
તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧.
નહિ જાણતો જ્યાં આત્મને જ, અનાત્મ પણ નહિ જાણતો,
તે કેમ હોય સુદ્રષ્ટિ જે જીવ–અજીવને નહિ જાણતો? ૨૦૨.
ગાથાર્થઃ– [खलु] ખરેખર [यस्य] જે જીવને [रागादीनां तु परमाणुमात्रम्

अपि] પરમાણુમાત્ર-લેશમાત્ર-પણ રાગાદિક [विद्यते] વર્તે છે [सः] તે જીવ [सर्वागमधरः अपि] ભલે સર્વ આગમ ભણેલો હોય તોપણ [आत्मानं तु] આત્માને [न अपि जानाति] નથી જાણતો; [च] અને [आत्मानम्] આત્માને [अजानन्] નહિ જાણતો થકો [सः] તે [अनात्मानं अपि] અનાત્માને (પરને) પણ [अजानन्] નથી જાણતો; [जीवाजीवौ] એ રીતે જે જીવ અને અજીવને [अजानन्] નથી જાણતો તે [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [कथं भवति] કેમ હોઈ શકે?

ટીકાઃ– જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ છે તે ભલે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો; અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા-એ બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે;