Pravachan Ratnakar (Gujarati). Kalash: 139-140.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2056 of 4199

 

સમયસાર ગાથા-૨૦૩ ] [ ૧૪૩

(अनुष्टुभ्)
एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम्।
अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः।।
१३९।।
(शार्दूलविक्रीडित)
एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन्
स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन्।
आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं
सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम्।। १४०।।

અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે. આત્મા સ્થાયી છે (-સદા વિદ્યમાન છે) અને તે બધા ભાવો અસ્થાયી છે (-નિત્ય ટકતા નથી), તેથી તેઓ આત્માનું સ્થાન- રહેઠાણ-થઈ શકતા નથી અર્થાત્ તેઓ આત્માનું પદ નથી. જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે તે નિયત છે, એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે.

હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ–
[तत् एकम् एव हि पदम् स्वाद्यं] તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે

[विपदाम् अपदं] કે જે વિપત્તિઓનું અપદ છે (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શક્તી નથી) અને [यत्पुरः] જેની આગળ [अन्यानि पदानि] અન્ય (સર્વ) પદો [अपदानि एव भासन्ते] અપદ જ ભાસે છે.

ભાવાર્થઃ– એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે (કારણ કે તેઓ આકુળતામય છે-આપત્તિરૂપ છે). ૧૩૯.

વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છેઃ- શ્લોકાર્થઃ– [एक–ज्ञायकभाव–निर्भर–महास्वादं समासादयन्] એક જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, [એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી માટે) [द्वन्द्वमयं स्वादं विधातुम् असहः] દ્વંદ્વમય સ્વાદને લેવા અસમર્થ (અર્થાત્ વર્ણાદિક, રાગાદિક તથા ક્ષાયોપશમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ). [आत्म– अनुभव–अनुभाव–विवशः स्वां वस्तुवृत्तिं विदन्] આત્માના અનુભવના-સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને (આત્માની શુદ્ધપરિણતિને)