Pravachan Ratnakar (Gujarati). Gatha: 205 Kalash: 143.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2118 of 4199

 

ગાથા–૨૦પ
णाणगुणेण विहीणा एदं तु पदं बहू वि ण लहंते।
तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं।। २०५।।
ज्ञानगुणेन विहीना एतत्तु पदं बहवोऽपि न लभन्ते।
तद् गृहाण नियतमेतद् यदीच्छसि कर्मपरिमोक्षम्।। २०५।।
(द्रुतविलम्बित)
पदमिदं ननु कर्मदुरासदं
सहजबोधकलासुलभं किल।
तत इदं निजबोधकलाबलात्
कलयितुं यततां सततं जगत्।। १४३।।
હવે આ જ ઉપદેશ ગાથામાં કરે છેઃ-
બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહીં પામી શકે;
રે! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને. ૨૦પ.
ગાથાર્થઃ– [ज्ञानगुणेन विहीनाः] જ્ઞાનગુણથી રહિત [बहवः अपि] ઘણાય લોકો

(ઘણા પ્રકારનાં કર્મ કરવા છતાં) [एतत् पदं तु] આ જ્ઞાનસ્વરૂપ પદને [न लभन्ते] પામતા નથી; [तद्] માટે હે ભવ્ય! [यदि] જો તું [कर्मपरिमोक्षम्] કર્મથી સર્વથા મુક્ત થવા [इच्छसि] ઇચ્છતો હો તો [नियतम् एतत्] નિયત એવા આને (જ્ઞાનને) [गृहाण] ગ્રહણ કર.

ટીકાઃ– કર્મમાં (કર્મકાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો, પુષ્કળ (ઘણા પ્રકારનાં) કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી; માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવાયોગ્ય છે.

ભાવાર્થઃ– જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહિ; માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [इदं पदम्] આ (જ્ઞાનસ્વરૂપ) પદ [ननु कर्मदुरासदं] કર્મથી