Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 212 of 4199

 

ભાગ-૧ ] ૨૦પ

એ બન્ને ભૂતાર્થ છે. આગળ કહ્યું કે ભૂતાર્થ એક છે. અહીં કહે છે બન્ને ભૂતાર્થ છે. દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી અનુભવ કરતાં બંને ભૂતાર્થ છે. બે છે એ રીતે બેનું જ્ઞાન કરાવે છે. તે બેની અપેક્ષાએ બેપણાનું જ્ઞાન અને બેપણું સત્ છે એટલું. એ આશ્રય કરવા લાયક છે એમ નહીં.

૧૧ મી ગાથામાં એમ કહ્યું કે-ભૂતાર્થ છે તે શુદ્ધનય છે અને પર્યાય છે તે અભૂતાર્થ છે. પર્યાય જે અસત્ય છે તે કોઈ કાળે સત્ય થાય નહીં. પણ પર્યાય પર્યાય તરીકે સત્ય છે, ત્રિકાળની અપેક્ષાથી અસત્ય છે. એક અપેક્ષાથી ત્રિકાળ આત્માને ભૂતાર્થ કહે અને વળી એક અપેક્ષાથી દ્રવ્ય અને પર્યાય બેયને ભેદથી, ક્રમથી જાણવું એ ભૂતાર્થ છે એમ કહે, ત્યાં અપેક્ષા બરાબર સમજવી જોઇએ દ્રવ્યને મુખ્ય કરી દ્રવ્યને જાણવામાં આવે ત્યાં પર્યાય ગૌણ છે, અને પર્યાયને મુખ્ય કરી પર્યાયનું જ્ઞાન કરવામાં આવે ત્યારે દ્રવ્ય ગૌણ છે. આ તો બે નયપક્ષ છે, ભેદરૂપ વિકલ્પો છે. એ છે એ અપેક્ષાએ બન્ને ભૂતાર્થ છે. આશ્રય કરવા લાયક ભૂતાર્થ એ વાત અહીં નથી. અહીં તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે નયો છે, એ ‘છે’ એ અપેક્ષાએ બન્નેને ભૂતાર્થ કહ્યા. જેના આશ્રયે સમ્યગ્દર્શન થાય એ ભૂતાર્થ તે આ નહીં. અહો! દિગંબર સંતોએ ગજબ કામ કર્યાં છે.

હવે કહે છે-દ્રવ્ય અને પર્યાય એ બન્નેથી નહિ આલિંગન કરાયેલા-એટલે કે દ્રવ્યાર્થિકનયે દ્રવ્યને મુખ્ય કરી જાણવું તથા પર્યાયાર્થિકનયે પર્યાયને મુખ્ય કરી જાણવું- એવા બન્ને ભેદપક્ષથી નહિ સ્પર્શાયેલા અથવા બન્ને પ્રકારના વિકલ્પોથી રહિત એવા શુદ્ધવસ્તુમાત્ર ત્રિકાળી એકરૂપ શુદ્ધ ચૈતન્યભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, તે બન્ને નયના ભેદો અસત્યાર્થ છે, જૂઠા છે.

ઘડીકમાં સાચા અને ઘડીકમાં ખોટા? ભાઈ જે અપેક્ષા હોય તે બરાબર સમજવી જોઈએ. વ્યવહાર વ્યવહારની અપેક્ષાએ નથી? પર્યાય પર્યાયપણે નથી? પર્યાય નથી તો દ્રવ્ય એકલું રહી જાય. તો એકાંત થઈ જાય. પર્યાય પર્યાયપણે છે. તે શુદ્ધજીવવસ્તુમાં નથી. એવા શુદ્ધજીવવસ્તુનો અનુભવ થાય છે તો પર્યાયમાં. પર્યાય વસ્તુથી ભિન્ન રહી આખી વસ્તુને જાણી લે છે. પર્યાય દ્રવ્યમાં-શુદ્ધજીવવસ્તુમાં નથી, પણ પર્યાયમાં આખું દ્રવ્ય જણાઈ જાય છે.

દ્રવ્ય જે વસ્તુમાત્ર અખંડ છે એ ત્રિકાળી સત્ છે. પણ એ સત્ને જાણનારી પર્યાય છે ને? વેદાંત એમ કહે છે આત્મા ‘કૂટસ્થ’ છે. તો એ કૂટસ્થને જાણ્યું કોણે? કૂટસ્થ કૂટસ્થને જાણે? અહીં આત્મા છે ધ્રુવ કૂટસ્થ. ધ્રુવ એ કૂટસ્થ છે. પણ જાણ્યું કોણે? તો પર્યાયે. અનિત્ય પર્યાય તે નિત્યને જાણે છે, અને તે પર્યાય દ્રવ્યને અડયા વિના નિત્યને જાણે