Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2166 of 4199

 

સમયસાર ગાથા-૨૦૯ ] [ ૨પ૩

પ્રશ્નઃ– આ તો મુનિની વાત છે ને? ઉત્તરઃ– ભાઈ! આ તો સમકિતીનો અભિપ્રાય છે. મુનિની તો શી વાત! આ તો સમકિતી આમ માને છે એમ વાત છે. ભાઈ! રાગનો એક કણ અને રજકણ પણ મારો છે એમ જે માને છે તે મૂઢ છે, અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે; તેને જૈનધર્મની ખબર નથી. વીતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વરે આ કહ્યું છે કે-ધર્મી સમકિતી જીવ પરદ્રવ્ય-શરીર, ધન, લક્ષ્મી, કુટુંબ આદિ-છેદાઈ જાય તોપણ તે મારાં છે એમ માને નહિ, અનુભવે નહિ; એ તો એક જ્ઞાયક જ મારું સ્વદ્રવ્ય છે એમ અનુભવે છે.

અહાહા...! પ્રભુ! તને જો ધર્મ થાય ને કર્મની નિર્જરા થાય તો તે કયારે થાય? તો કહે છે કે જ્યારે તારી ચીજમાં-અખંડ એક જ્ઞાયકસ્વભાવમાં-તારી દ્રષ્ટિ પડી હોય ત્યારે; આ શરીરાદિ અને રાગાદિથી હું ભિન્ન છું એવી ચૈતન્યસ્વરૂપની અનુભૂતિ થાય ત્યારે. ભાઈ! આવી ચૈતન્યસ્વરૂપની અનુભૂતિમાં રાગ કે શરીર આવતાં નથી કેમકે તેઓ અનુભૂતિથી ભિન્ન છે. ઝીણી વાત છે પ્રભુ! પ૦ થી પપ ગાથામાં ‘અનુભૂતિથી ભિન્ન છે’-એમ આવે છે ને? એનો અર્થ એ છે કે-હું તો જ્ઞાનાનંદ-સહજાનંદ સ્વરૂપે છું અને એની જે અનુભૂતિ છે તેમાં રાગ કે શરીરનો ભાવ આવતો નથી. આવી વાત! બાપુ! આ તો જન્મ-મરણથી રહિત થવાની કોઈ અલૌકિક વાત છે! આ તો વીતરાગની વાણી! એ વાણીની ગોદમાં બેઠા-બેઠા આ કહીએ છીએ કે-હું આત્મા એક જ્ઞાનાનંદસ્વભાવી છું અને મારા જ્ઞાનની અનુભૂતિમાં આ રાગાદિ ને શરીરાદિના ભાવ આવતા નથી, તેઓ અનુભૂતિથી ભિન્ન જ રહી જાય છે.

હવે આવો મારગ! બિચારો સાધારણ માણસ કેવી રીતે પ્રાપ્ત કરે? તેને કહીએ છીએ-ભાઈ! જેમ મારગ સાધારણ નથી તેમ તું પણ સાધારણ નથી. તું ત્રણલોકનો નાથ પ્રભુ પરમાત્મસ્વરૂપે છો. ‘अप्पा सो परमप्पा’–એમ આવે છે ને? અહાહા...! ભાઈ! તું પરમ જેનું સ્વરૂપ છે-જ્ઞાનને આનંદ જેનું સ્વરૂપ છે તેવો જ્ઞાનાનંદનો સાગર પ્રભુ પરમાત્મા છો. ભાઈ! આ શરીર ને રાગ તારી ચીજ નથી. માટે હઠી જા ત્યાંથી, ને સ્વરૂપનું લક્ષ કર; તને તારા પરમાત્માનાં દર્શન થશે અર્થાત્ સમ્યગ્દર્શન થશે. જો; જેને સ્વરૂપનું ભાન થયું છે એવો ધર્મી જીવ પરદ્રવ્ય-ચાહે શરીર હો, પૈસા હો, આબરૂ હો, કે કાંઈપણ હો-છેદાઈ જાય તોપણ મને કાંઈ નથી એમ માને છે.

અહા! અજ્ઞાની એમ માને છે કે-અરે! મારી આબરૂ ચાલી ગઈ, હું આબરૂ વિનાનો થઈ ગયો, મારું અપમાન થઈ ગયું! પણ અરે ભાઈ! આબરૂ જ તારી કયાં હતી? ભગવાન! તું કોણ છો એની તને ખબર નથી. તારું અપમાન કોણ કરી શકે છે? જેને આત્માનું જ્ઞાન છે એ તો કરે નહિ અને જેને આત્માનું જ્ઞાન નથી-આત્મા જોયો નથી-તે પણ અપમાન કરી શકે નહિ. (કેમકે આત્માને જોયા વિના