Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2168 of 4199

 

સમયસાર ગાથા-૨૦૯ ] [ ૨પપ કોઈ ચોર લઈ જાઓ કે બીજા લઈ જાઓ; અમને શું છે? તે કયાં અમારી ચીજ છે કે અમને હાનિ થાય? ધર્મી આમ માને છે.

પ્રશ્નઃ– તો પછી ધર્મી તાળા-કુંચી કેમ રાખે છે? સમાધાનઃ– ભાઈ! અજ્ઞાની તાળા-કુંચી રાખે છે ત્યાં તો એને મમતા-મારાપણાનો ભાવ છે માટે રાખે છે, જ્યારે જ્ઞાની તાળા-કુંચી રાખે છે ત્યાં એને એટલો (અસ્થિરતાનો) વિકલ્પ છે માટે રાખે છે. તે કાળે તે પ્રમાણે બનવાનો કાળ છે તો તેવું બને છે; બાકી આત્મા તાળું દઈ શકે છે એમ છે જ નહિ, કેમકે તાળું દેવું એ તો જડની ક્રિયા છે, તેને આત્મા કરી શકતો નથી. ગંભીર વાત છે બાપા!

પ્રશ્નઃ– તો તિજોરીને તાળું દેવું કે નહિ? સમાધાનઃ– ભાઈ! તાળું કોણ દે? એ તો જડની-પરમાણુની દશા છે. તાળું બંધ થાય ને તાળું ખુલે-એ તો તેના કારણે થાય છે; એને શું જીવ કરે છે? શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે-મારામાં એક તણખલાના બે ટુકડા કરવાની પણ શક્તિ નથી. અહા! શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થાશ્રમમાં હતા ને મુંબઈમાં ઝવેરાતનો લાખોનો વેપાર કરતા હતા. તેઓએ એકવાર કહ્યું કે-એક તણખલાના બે ટુકડા કરવાની પણ મારામાં શક્તિ નથી. ભાઈ! તણખલાના બે ટુકડા થાય એ તો જડની ક્રિયા છે અને તે આત્મા કરી શકતો નથી. સમજાણું કાંઈ...? ત્યારે કોઈ કહે છે-

પણ એ તો એમ કહીને પોતાની લઘુતા એમણે બતાવી છે. ભાઈ! એમ નથી બાપા! લઘુતા બતાવી છે એમ નથી પણ વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે. પરનું આત્મા કાંઈ કરી શકે જ નહિ એવું વસ્તુનું સ્વરૂપ છે. શું આ આંગળી આત્મા ઊંચી કરી શકે છે? ના; કેમકે એ તો જડ છે અને એનું ઊંચું-નીચું થવું એ એની-જડની ક્રિયા છે. આત્મા તો એને અડેય નહિ તો પછી એનું શું કરે? ભાઈ! આ વાણી જે નીકળે છે ને? એ પણ જડની ક્રિયા છે અને તેને આત્મા કરે છે એમ છે જ નહિ. આવી વાત છે!

તો આપે તો આત્માને સાવ પાંગળો બનાવી દીધો. ભાઈ! આત્મા પરમાં પાંગળો એટલે પંગુ જ છે. અહાહા...! પોતામાં તે પૂર્ણ પુરુષાર્થી છે; પોતાની સત્તામાં તે ઉલટો કે સુલટો પુરુષાર્થ કરી શકે છે પણ પરમાં કાંઈ જ કરી શકે નહિ એવો તે પંગુ છે. ભગવાન! મારગ તો આવો છે! અહા! જે આ બધા ભભકા દેખાય છે-શરીર ને વાણી ને પૈસા ને આબરૂ દેખાય છે-એ તો બધો જડનો ભભકો છે પ્રભુ! અહા! એ તારી ચીજમાં કયાં છે? એ તારી ચીજમાં નથી, તારી નથી અને તારામાં આવી નથી.

એ જ કહે છે કે-‘પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ