Pravachan Ratnakar (Gujarati). Kalash: 148-149.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2258 of 4199

 

સમયસાર ગાથા-૨૧૭ ] [ ૩૪પ

(स्वागता)
ज्ञानिनो न हि परिग्रहभावं
कर्म रागरसरिक्ततयैति।
रङ्गयुक्तिरकषायितवस्त्रे–
स्वीकृतैव हि बहिर्लुठतीह।। १४८।।
(स्वागता)
ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात्
सर्वरागरसवर्जनशीलः।
लिप्यते सकलकर्मभिरेषः
कर्ममध्यपतितोऽपि ततो न।।
१४९।।
હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનારૂપે શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ–
[इह अकषायितवस्त्रे] જેમ લોધર, ફટકડી વગેરેથી જે કષાયિત

કરવામાં ન આવ્યું હોય એવા વસ્ત્રમાં [रङ्गयुक्तिः] રંગનો સંયોગ, [अस्वीकृता] વસ્ત્ર વડે અંગીકાર નહિ કરાયો થકો, [बहिः एव हि लुठति] બહાર જ લોટે છે-અંદર પ્રવેશ કરતો નથી, [ज्ञानिनः रागरसरिक्ततया कर्म परिग्रहभावं न हि एति] તેમ જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી તેને કર્મ પરિગ્રહપણાને ધારતું નથી.

ભાવાર્થઃ– જેમ લોધર, ફટકડી વગેરે લગાડયા વિના વસ્ત્ર પર રંગ ચડતો નથી તેમ રાગભાવ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૮.

ફરી કહે છે કેઃ- શ્લોકાર્થઃ– [यतः] કારણ કે [ज्ञानवान्] જ્ઞાની [स्वरसतः अपि] નિજ રસથી [सर्वरागरसवर्जनशीलः] સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો [स्यात्] છે [ततः] તેથી [एषः] તે [कर्ममध्यपतितः अपि] કર્મ મધ્યે પડયો હોવા છતાં પણ [सकलकर्मभिः] સર્વ કર્મોથી [न लिप्यते] લેપાતો નથી. ૧૪૯.

*
સમયસાર ગાથા ૨૧૭ઃ મથાળુ

એ રીતે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે એમ હવે કહે છેઃ-

* ગાથા ૨૧૭ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે તેઓ કેટલાક તો સંસારસંબંધી છે