Pravachan Ratnakar (Gujarati). Gatha: 14.

< Previous Page   Next Page >


PDF/HTML Page 226 of 4199

 

ગાથા–૧૪
जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं अणण्णयं णियदं।
अविसेसमसंजुत्तं तं
सुद्धणयं वियाणीहि।।
१४।।

यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यकं नियतम्।
अविशेषमसंयुक्तं तं
शुद्धनयं विजानीहि।। १४।।

એ શુદ્ધનયને ગાથાસૂત્રથી કહે છેઃ-

અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
અવિશેષ, અણસંયુક્ત,
તેને શુદ્ધનય તું જાણજે. ૧૪.

ગાથાર્થઃ– [यः] જે નય [आत्मानम्] આત્માને [अबद्धस्पृष्टम्] બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, [अनन्यकं] અન્યપણા રહિત, [नियतम्] ચળાચળતા રહિત, [अविशेषम्] વિશેષ રહિત, [असंयुक्तं] અન્યના સંયોગ રહિત-એવા પાંચ ભાવરૂપ [पश्यति] દેખે છે [तं] તેને, હે શિષ્ય! તું [शुद्धनयं] શુદ્ધનય [विजानीहि] જાણ.

ટીકાઃ– નિશ્ચયથી અબદ્ધ-અસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત- એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે; એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. (શુદ્ધનય કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો-એક જ છે, જુદાં નથી.) અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? તેનું સમાધાનઃ-બદ્ધસ્પૃષ્ટત્વ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. આ વાતને દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છેઃ-

જેમ કમલિનીનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ જળથી જરાય નહિ