Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2345 of 4199

 

૪૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ જ્ઞાનના પડખે ગયો છે. તેની દ્રષ્ટિ પરમાંથી ખસીને સ્વમાં ગઈ છે. જ્યારે અજ્ઞાનીની તો દ્રષ્ટિ જ પર ઉપર છે. આવી વાત બહુ ઝીણી બાપા!

એ તો પ્રવચનસાર (ગાથા ૨૩૬) માં ન આવ્યું? શું? કે કાયા ને કષાયને પોતાના માનનારો બાહ્યમાં છકાયની હિંસા જરાય ન કરતો હોય તોપણ તે છકાયની હિંસાનો કરનારો છે. ભગવાન આત્મા સ્વભાવથી કાયારહિત અકાય ને કષાયરહિત અકષાયી છે. હવે આવા સ્વભાવને છોડીને જે કાયા ને કષાયને પોતાનાં માને છે તે બહારથી ભલે નગ્ન દિગંબર સાધુ હોય તથા બહારથી છકાયની હિંસા ન કરતો હોય તોપણ તે હિંસાનો કરનાર છે, આત્મઘાતી છે. જ્યારે ધર્મી આત્માના જ્ઞાન ને આનંદના અનુભવમાંથી ખસતો નથી તેથી કદાચિત્ રાગની ક્રિયા તેને થઈ જાય છે તોપણ તેને અંતરની નિર્મળતા છૂટતી નથી. તેથી તેના-જ્ઞાનીના પરિણામ નિરંતર ઉજ્જ્વળ છે. આવો વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ ભાઈ!

કહે છે ને કે-‘પકડ પકડમેં ફેર હૈ;’ બિલાડી ઉંદરને મોંઢામાં પકડે છે અને પોતાના બચ્ચાને પણ મોઢામાં પકડે છે, પણ ‘પકડ પકડમેં ફેર હૈ;’ બહારથી તો એકસરખી લાગે પણ બેય પકડમાં ફેર છે. (એકમાં હિંસાનો ભાવ છે, બીજામાં રક્ષાનો ભાવ છે). તેમ જ્ઞાનીને, આમ બહારથી દેખાય છે કે તેને રાગ છે, પણ રાગની પકડ નથી; જ્યારે અજ્ઞાનીને રાગની પકડ છે-આ ફેર છે.

અહાહા...! કહે છે-‘અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્જ્વળ છે. તે ઉજ્જ્વળતાને તેઓ (-જ્ઞાનીઓ) જ જાણે છે, મિથ્યાદ્રષ્ટિઓ તે ઉજ્જ્વળતાને જાણતા નથી.’ અહા! મિથ્યાદ્રષ્ટિની દ્રષ્ટિ તો બહાર છે, બહારની ક્રિયા પર છે. તે બહારની ક્રિયાથી ધર્મીનું માપ કાઢે છે અને તેથી કોઈ અજ્ઞાની બહારની ક્રિયા બરાબર કરતો હોય તો તેને તે જ્ઞાની માને છે અને કોઈ જ્ઞાની જરીક ભોગાદિની ક્રિયામાં હોય તો તેને તે અજ્ઞાની માની લે છે. આ પ્રમાણે અજ્ઞાની જ્ઞાનીના અંતરની ઉજ્જ્વળતાને જાણતો નથી; પોતાને ઉજ્જ્વળતા થયા વિના તે ઉજ્જ્વળતાને કેવી રીતે જાણે? એ તો સમ્યગ્દર્શનનો કોઈ અચિંત્ય મહિમા છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્ઞાનીઓની અંતઃઉજ્જ્વળતાને જાણે છે. જ્ઞાની જ જ્ઞાનીઓની અંતરની ઉજ્જ્વળતાને જાણે છે. અહો સમ્યગ્દર્શન! અહો! અંતઃઉજ્જ્વળતા!!

હવે કહે છે-‘મિથ્યાદ્રષ્ટિ તો બહિરાત્મા છે, બહારથી જ ભલું બૂરું માને છે; અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે?’

મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા છે. એટલે શું? કે તેને બહારની ચીજની પકડ છે તે બહારથી-બહારની ક્રિયાથી જોનારો છે. તે અંદર કયાં ગયો છે કે તે અંતરાત્માની