સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪૩૯
निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः।
नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५६।।
શાશ્વત, એક અને સકલવ્યક્ત (-સર્વ કાળે પ્રગટ એવો) લોક છે; [यत्] કારણ કે [केवलम् चित्–लोकं] માત્ર ચિત્સ્વરૂપ લોકને [अयं स्वयमेव एककः लोकयति] આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે-અનુભવે છે. આ ચિત્સ્વરૂપ લોક જ તારો છે, [तद्–अपरः] તેનાથી બીજો કોઈ લોક- [अयं लोकः अपरः] આ લોક કે પરલોક- [तव न] તારો નથી એમ જ્ઞાની વિચારે છે, જાણે છે, [तस्य तद्–भीः कुतः अस्ति] તેથી જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો ભય ક્યાંથી હોય? [सः स्वयं सततं निश्शङ्कः सहजं ज्ञानं सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને (પોતાના જ્ઞાનસ્વભાવને) સદા અનુભવે છે.
ભાવાર્થઃ– ‘આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ?’ એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. ‘પરભવમાં મારું શું થશે?’ એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. જ્ઞાની જાણે છે કે-આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે. આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડયો બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે. ૧પપ.
હવે વેદનાભયનું કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [निर्भेद–उदित–वेद्य–वेदक–बलात्] અભેદસ્વરૂપ વર્તતા વેધ- વેદકના બળથી (અર્થાત્ વેધ અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી) [यद् एकं अचलं ज्ञानं स्वयं अनाकुलैः सदा वेद्यते] એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે (-જ્ઞાનીઓ વડે) સદા વેદ્રાય છે, [एषा एका एव हि वेदना] તે આ એક જ વેદ્રના (જ્ઞાનવેદના) જ્ઞાનીઓને છે. (આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવાયોગ્ય છે. [ज्ञानिनः अन्या आगत–वेदना एव हि न एव भवेत्] જ્ઞાનીને બીજી કોઈ આવેલી (- પુદ્ગલથી થયેલી) વેદ્રના હોતી જ નથી, [तद्–भीः कुतः] તેથી તેને વેદ્રનાનો ભય ક્ય ાંથી હોય? [सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થઃ– સુખદુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર