Pravachan Ratnakar (Gujarati). Kalash: 161.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2356 of 4199

 

સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪૪૩

(मंदाक्रान्ता)
टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः
सम्यग्द्रष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म।
तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः
पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निर्जरैव।। १६१।।

સ્વરૂપનાં જ્ઞાનશ્રદ્ધાનથી ચ્યુત થાય. વળી જે ભય ઊપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે; તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી. ૧૬૦.

હવે આગળની (સમ્યગ્દ્રષ્ટિના નિઃશંકિત આદિ ચિહ્નો વિષેની) ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [टङ्कोत्कीर्ण–स्वरस–निचित–ज्ञान–सर्वस्व–भाजः सम्यग्द्रष्टेः] ટંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દ્રષ્ટિને [यद् इह लक्ष्माणि] જે નિઃશંક્તિ આદિ ચિહ્નો છે તે [सकलं कर्म] સમસ્ત કર્મને [ध्नन्ति] હણે છે; [तत्] માટે, [अस्मिन्] કર્મનો ઉદય વર્તતાં છતાં, [तस्य] સમ્યગ્દ્રષ્ટિને [पुनः] ફરીને [कर्मणः बन्धः] કર્મનો બંધ [मनाक् अपि] જરા પણ [नास्ति] થતો નથી, [पूर्वोपात्तं] પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું [तद्–अनुभवतः] તેના ઉદયને ભોગવતાં તેને [निश्चितं] નિયમથી [निर्जरा एव] તે કર્મની નિર્જરા જ થાય છે.

ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રકૃતિઓના ઉદયને ભોગવે છે તોપણ નિઃશંકિત આદિ ગુણો વર્તતા હોવાથી તેને શંકાદિકૃત (શંકાદિના નિમિત્તે થતો) બંધ થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે. ૧૬૧.

* * *
સમયસાર ગાથા ૨૨૮ઃ મથાળુ

હવે આ અર્થને ગાથા દ્વારા કહે છેઃ-

* ગાથા ૨૨૮ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી...’ જોયું? ‘સમ્યગ્દ્રષ્ટિઓ’-એમ બહુવચન વાપર્યું છે; કેમ? કારણ કે સમ્યગ્દ્રષ્ટિ જીવો અનેક છે. અલ્પ છતાં અનેક છે એમ સૂચવવા બહુવચન કહ્યું છે. અહાહા...! _________________________________________________________________

૧. નિઃશંક્તિ = સંદેહ અથવા ભય રહિત. ૨. શંકા = સંદેહ; કલ્પિત ભય.