સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪૪૯
ત્યારે વળી તે કહે છે-પણ એનું કાંઈ સાધન તો હશે ને? સમાધાનઃ– હા, સાધન છે; રાગથી ભિન્ન પડીને અંદર નિરાકુળ આનંદનો અનુભવ કર્યો તે સાધન છે. ‘પ્રજ્ઞાછીણી’ સાધન છે. ‘પ્રજ્ઞાછીણી’ એ શબ્દ છે. (તેનું વાચ્ય આ છે કે) રાગથી ભિન્ન પડીને આત્માને અનુભવવો એનું નામ પ્રજ્ઞાછીણી છે, અને એ જ સાધન છે. પણ એ સિવાય બીજા કોઈ ક્રિયાકાંડ સાધન નથી.
અહીં કહે છે-‘અભેદસ્વરૂપ વર્તતા વેદ્ય-વેદકના બળથી...’ ભાષા જુઓ! કે ભેદરહિત અભેદ વેદ્ય-વેદક જ્ઞાનીને હોય છે એમ કહે છે. ૨૧૬ ગાથામાં જે વેદ્ય-વેદક કહ્યું એ તો વિભાવનું વેધ-વેદક હતું. વિભાવનું વેદ્ય-વેદક જ્ઞાનીને નથી. જ્ઞાનીને તો ભગવાન આત્માનો આનંદ વેદવાને લાયક અને પોતે આનંદનું વેદન કરનારો-એમ અભેદ વેદ્ય-વેદક છે. ‘उदित’ એટલે આનંદની જે પ્રગટ દશા તેને પોતે જ વેદે છે, વેદવાલાયક પોતે ને વેદનારો પણ પોતે જ છે. એક સમયની પર્યાયમાં જ્ઞાનીનું વેદ્ય- વેદક છે, આવી વાત છે.
પ્રશ્નઃ– દ્રવ્ય વેદક ને પર્યાય વેદ્ય એમ છે કે નહિ? સમાધાનઃ– ના, એમ નથી. પર્યાયમાં જ વેદ્ય-વેદક છે. વેદાવાની લાયકાત (વેદાવાયોગ્ય) જ્ઞાન-આનંદની પર્યાય છે ને વેદનાર પણ તે પર્યાય જ છે. દ્રવ્ય તો દ્રવ્ય છે; દ્રવ્યને કયાં વેદવું છે? ને દ્રવ્યને કયાં વેદાવું છે? પ્રવચનસારની ૧૭૨ મી ગાથાના અલિંગગ્રહણના ૨૦ મા બોલમાં કહ્યું છે કે-પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્યદ્રવ્ય-ભગવાન આત્મા-તેને આત્મા વેદતો નથી; આત્મા તો પોતાની જે શુદ્ધ પર્યાય છે તેને વેદે છે. માટે શુદ્ધ પર્યાય છે તે આત્મા છે એમ ત્યાં કહ્યું છે. ભલે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે પણ વેદન તો પર્યાયમાં છે. આત્મા વેદે છે એટલે કે પર્યાય વેદે છે-એમ અર્થ છે. આત્મા દ્રવ્યને વેદે છે કયાં? આત્મા (-પર્યાય) દ્રવ્ય-સામાન્યને તો અડતોય નથી. ભાઈ! જે વેદન છે એ તો પર્યાયનું વેદન છે.
ત્યાં (પ્રવચનસાર ગાથા ૧૭૨ માં) અઢારમાં બોલમાં એમ કહ્યું કે- અર્થાવબોધરૂપ એવો જે વિશેષ ગુણ તેને આત્મા અડતો નથી અર્થાત્ ભેદને અડતો નથી. અને અર્થાવબોધરૂપ વિશેષ-પર્યાયને પણ આત્મા અડતો નથી. (૧૯ મો બોલ). બાપુ! એની રમતુ બધી દ્રવ્ય ને પર્યાય વચ્ચે છે, બહારમાં કાંઈ નથી. વીસમા બોલમાં કહ્યું કે -પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્ય તેને અડતો નથી એવો શુદ્ધ પર્યાય તે આત્મા છે. એટલે કે શુદ્ધ પર્યાયનું જે વેદન થયું તે હું છું, કેમકે મારા વેદનમાં પર્યાય આવી છે; વેદનમાં દ્રવ્ય આવતું નથી. આ મારગ બાપુ! બહુ જુદો છે ભાઈ! લોકોને