૪૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
અનાદિ છે, ‘अनन्तम्’ અનંત છે, ‘अचलं’ અચળ છે.
શું કહે છે? કે આ સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે. અહીં જ્ઞાન શબ્દે આત્મા કહેવો છે. એમ કે-આત્મા સ્વતઃસિદ્ધ છે અને તે એક છે. જ્ઞાનાનંદસ્વરૂપી આત્મા પોતે પોતાથી છે અને તે એક છે. મતલબ કે તેમાં બીજું કાંઈ નથી. શરીર, મન, વાણી, રાગ ઇત્યાદિ બીજું કાંઈ એમાં નથી. વળી તે સ્વતઃસિદ્ધ સત્સ્વરૂપ ભગવાન અનાદિ-અનંત છે. જોયું? બીજા બધા પદાર્થો-રાગ, નિમિત્ત આદિ પદાર્થો નાશવંત છે પણ ભગવાન આત્મા ત્રિકાળી સત્ પ્રભુ અનાદિ-અનંત છે, સદા અવિનાશી છે. અહાહા...! મારી ચીજ તો અનાદિની સ્વતઃસિદ્ધ એક જ્ઞાનસ્વરૂપ છે અને હું ત્રિકાળ અનાદિ-અનંત એવો ને એવો રહેવાવાળો છું-એમ ધર્મીની દ્રષ્ટિ પોતાના શુદ્ધ એક ચૈતન્યતત્ત્વ ઉપર રહેલી હોય છે. વળી કહે છે-
તે (આત્મા) અચળ છે. અહા! મારી ચીજ ચળાચળ છે જ નહિ, તે તો જેવી છે તેવી ત્રિકાળ અચળ છે. નિત્ય ધ્રુવ જ્ઞાનઘન પ્રભુ આત્મા ચળે કયાંથી? હું તો જેવો છું તેવો ચૈતન્યમૂર્તિ પ્રભુ ત્રિકાળ ધ્રુવ અચળ છું એમ જ્ઞાની જાણે છે.
‘इदं यावत् तावत् सदा एव हि भवेत्’ તે જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે ‘अत्र द्वितीयोदयः न’ તેમાં બીજાનો ઉદય નથી.
અહાહા...! શું કહે છે આ? ‘તે જ્યાં સુધી છે ત્યાં સુધી તે જ છે.’ અહાહા...! ત્રિકાળી ધ્રુવ જ્ઞાનાનંદસ્વરૂપી આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપી જ છે. તેમાં બીજાનો ઉદય નથી. ભગવાન આત્મામાં બીજાનું પ્રગટપણું નથી. બીજી ચીજ તો બીજામાં છે. અહાહા...! જ્ઞાની કહે છે-મારી ત્રિકાળી ધ્રુવ અચળ ચીજમાં બીજી ચીજનો ઉદય નામ બીજી ચીજનું આવવું કે ઘુસવું છે નહિ. મારું તો સદા એકરૂપ જ્ઞાનરૂપ જ સ્વરૂપ છે.
‘तत्’ માટે ‘अत्र आकस्मिकम् किञ्चन न भवेत्’ આ જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું, એકાએક) કાંઈપણ થતું નથી.
અહાહા...! અતીન્દ્રિય જ્ઞાન ને આનંદથી પૂરણ ભરેલો એવો જ્ઞાનાનંદનું ધ્રુવ-ધામ પ્રભુ આત્મા ત્રિકાળ એમ ને એમ જ છે. અહા! વર્તમાનમાં પણ ત્રિકાળી જેવો છે તેવો જ છે, અચળ છે. તેમાં બીજી કોઈ ચીજ છે નહિ અને બીજી ચીજનો પ્રવેશ