પ૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
જુઓ, એક ભાઈ પૂછતા હતા કે-શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે હું (-શ્રીમદ્) એક ભવે મોક્ષ જવાનો છું. તો શું આવું બધું તે જાણી શકે?
ત્યારે કહ્યું કે-બાપા! (ન જાણી શકે)-એમ રહેવા દો ભાઈ! શ્રુતજ્ઞાન સર્વને જાણે છે માટે તમે (તેઓ કેમ જાણી શકે?)-એમ રહેવા દો. બાપુ! શ્રીમદે જે કહ્યું છે તે યથાર્થ કહ્યું છે-
આ શ્રીમદે જે કહ્યું છે તે યથાર્થ કહ્યું છે.
બાપુ! આત્મા સમ્યગ્જ્ઞાનમાં શું ન જાણે? એના મહિમાની તને ખબર નથી. અહા! જેના લક્ષમાં જ્ઞાન ગયું તે બધાનો જ્ઞાન પત્તો લઈ લે છે, તાગ મેળવી લે છે. અહા! જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે કે નહિ? તો સમ્યગ્દર્શનમાં આત્માનું જ્યાં ભાન થયું ત્યાં પ્રગટ થયેલા શ્રુતજ્ઞાનનું એવું માહાત્મ્ય છે કે તે જ્ઞાનમાં બધું જણાય. અહા! શ્રુતજ્ઞાન ને કેવળજ્ઞાનમાં પરોક્ષ-પ્રત્યક્ષનો ફેર પાડયો છે, પણ સર્વમાં (સર્વને જાણવામાં) ફેર પાડયો નથી.
અહા! સ્વરૂપથી જ સ્વપરને જાણવાનું શ્રુતજ્ઞાનનું સામર્થ્ય છે. અહા! શ્રુતજ્ઞાન કાંઈ રાંકુ (બળહીન) જ્ઞાન નથી. એ તો બળવંતનું બળવંત જ્ઞાન છે. બળવંત એવા ભગવાન આત્માનું જ્ઞાન છે અને તેથી તે જ્ઞાન પણ બળવંત છે. હવે કહે છે-
‘તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થદ્રષ્ટિ પડતી નથી.’
‘શું કહ્યું? કે સમકિતીને કોઈ પદાર્થ પર અયથાર્થદ્રષ્ટિ પડતી નથી, એટલે કે પદાર્થમાં મોહદ્રષ્ટિ-મૂઢતાની દ્રષ્ટિ થતી નથી, કેમકે રાગદ્વેષમોહનો તેને અભાવ છે. તે પદાર્થોને ઈષ્ટ-અનિષ્ટપણે જાણતો નથી.
હવે કહે છે-‘ચારિત્રમોહના ઉદયથી ઇષ્ટાનિષ્ટ ભાવો ઉપજે તોપણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને મૂઢદ્રષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે.’
શું કહ્યું? કે પદાર્થસંબંધી મોહ છે માટે નહિ પણ જરા નબળાઈને લીધે ઉદયમાં જોડાતાં કિંચિત્ અસ્થિરતાનો રાગ થાય પણ તે ઉદયનું કાર્ય છે એમ જાણીને જ્ઞાની પોતે તેનો કર્તા થતો નથી; જ્ઞાની તો માત્ર તેનો જ્ઞાતા રહે છે. અત્યારે આવો રાગ છે એમ જ્ઞાની જાણે છે પણ તેમાં તેને સ્વામીપણું નથી. અહાહા...! શબ્દે શબ્દે