Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2422 of 4199

 

સમયસાર ગાથા-૨૩૨ ] [ પ૦૯ મુનિ ભગવંતોએ ગાગરમાં જાણે સાગર ભરી દીધો છે! અહા! પંચમ આરાના સાધુ...! પણ સાધુ છે તેમાં આરો છે કયાં?

કહે છે-‘તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને મૂઢદ્રષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે.’ અહા! સમકિતીને પરને કારણે નહિ પણ પોતાની કમજોરીવશ જરા અસ્થિરતા આવી છે પણ તે ખરી જાય છે. જ્ઞાની તેના જ્ઞાતા-દ્રષ્ટા જ રહે છે. આનું નામ સમ્યગ્દ્રષ્ટિ અને આને નિર્જરા કહેવામાં આવે છે.

[પ્રવચન નં. ૩૦૪ (શેષ)*દિનાંક ૨૮-૧-૭૭]