ૐ
परमात्मने नमः।
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
ઉપર
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
બંધ અધિકાર
अथ प्रविशति बन्धः।
(शार्दूलविक्रीडित)
रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत्
क्रीडन्तं रसभावनिर्भरमहानाटयेन बन्धं धुनत्।
आनन्दामृतनित्यभोजि सहजावस्थां स्फुटं नाटयद्
धीरोदारमनाकुलं निरुपधि ज्ञानं समुन्मज्जति।। १६३।।
क्रीडन्तं रसभावनिर्भरमहानाटयेन बन्धं धुनत्।
आनन्दामृतनित्यभोजि सहजावस्थां स्फुटं नाटयद्
धीरोदारमनाकुलं निरुपधि ज्ञानं समुन्मज्जति।। १६३।।
રાગાદિકથી કર્મનો, બંધ
જાણી મુનિરાય,
તજે તેહ સમભાવથી, નમું સદા તસુ પાય.
પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે બંધ પ્રવેશ કરે છે’. જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે તેમ રંગભૂમિમાં બંધતત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે.
ત્યાં પ્રથમ જ, સર્વ તત્ત્વોને યથાર્થ જાણનારું જે સમ્યગ્જ્ઞાન છે તે બંધને દૂર કરતું પ્રગટ થાય છે એવા અર્થનું મંગળરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [राग–उद्गार–महारसेन सकलं जगत् प्रमत्तं कृत्वा] જે (બંધ)