Pravachan Ratnakar (Gujarati). Gatha: 237-239.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2482 of 4199

 

] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

जह णाम को वि पुरिसो णेहब्भत्तो दु रेणुबहुलम्मि। ठाणम्मि ठाइदूण य करेदि सत्थेहिं वायामं।। २३७।। छिंददि भिंददि य तदा तालीतलकयलिवंसपिंडीओ। सच्चित्ताचित्ताणं करेदि दव्वाणमुवघादं।। २३८।। उवघादं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं। णिच्छयदो चिंतेज्ज हु किंपच्चयगो दु रयबंधो।। २३९।।


રાગના ઉદયરૂપી મહા રસ (દારૂ) વડે સમસ્ત જગતને પ્રમત્ત (-મતવાલું, ગાફેલ) કરીને, [रस–भाव–निर्भर–महा–नाटयेन क्रीडन्तं बन्धं] રસના ભાવથી (અર્થાત્ રાગરૂપી ઘેલછાથી) ભરેલા મોટા નૃત્ય વડે ખેલી (નાચી) રહ્યો છે એવા બંધને [धुनत्] ઉડાડી દેતું-દૂર કરતું, [ज्ञानं] જ્ઞાન [समुन्मज्जति] ઉદય પામે છે. કેવું છે જ્ઞાન? [आनन्द–अमृत–नित्य–भोजि] આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે, [सहज–अवस्थां स्फुटं नाटयत्] પોતાની જાણનક્રિયારૂપ સહજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું છે, [धीर–उदारम्] ધીર છે, ઉદાર (અર્થાત્ મોટા વિસ્તારવાળું, નિશ્ચળ) છે, [अनाकुलं] અનાકુળ (અર્થાત્ જેમાં કાંઈ આકુળતાનું કારણ નથી એવું) છે, [निरुपधि] નિરુપધિ (અર્થાત્ પરિગ્રહ રહિત, જેમાં કાંઈ પરદ્રવ્ય સંબંધી ગ્રહણત્યાગ નથી એવું) છે.

ભાવાર્થઃ– બંધતત્ત્વે રંગભૂમિમાં પ્રવેશ કર્યો છે, તેને ઉડાવી દઈને જે જ્ઞાન પોતે પ્રગટ થઈ નૃત્ય કરશે તે જ્ઞાનનો મહિમા આ કાવ્યમાં પ્રગટ કર્યો છે. એવા અનંત જ્ઞાનસ્વરૂપ જે આત્મા તે સદા પ્રગટ રહો. ૧૬૩.

હવે બંધતત્ત્વનું સ્વરૂપ વિચારે છે; તેમાં પ્રથમ, બંધના કારણને સ્પષ્ટ રીતે કહે છેઃ-

જેવી રીતે કો પુરુષ પોતે તેલનું મર્દન કરી,
વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૩૭.
વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને
ઉપઘાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૩૮.
બહુ જાતનાં કરણો વડે ઉપઘાત કરતા તેહને,
નિશ્ચય થકી ચિંતન કરો; રજબંધ થાય શું કારણે? ૨૩૯.