Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2524 of 4199

 

૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ જ સર્વજ્ઞસ્વભાવ દરેક જીવનો છે. અહાહા...! ભગવાન આત્મા સર્વજ્ઞ થાય એવો જ એનો સ્વભાવ છે, અલ્પજ્ઞ રહે ને વિપરીતપણે રહે એવો એનો સ્વભાવ જ નથી .

અહીં કહે છે-કરવું અને જાણવું નિશ્ચયથી વિરોધરૂપ જ છે. આને મારું, આને સુખી કરું, આને દુઃખી કરું, આને જિવાડું વગેરે ભાવ અને વળી હું જ્ઞાતા-દ્રષ્ટા છું-એમ બેય ભાવ એક સાથે કેમ રહી શકે? એ તો વિરુદ્ધ છે. જાણે તે કરે નહિ અને કરે તે જાણે નહિ. લ્યો, આવી વાત છે.

* કળશ ૧૬૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘પહેલા કાવ્યમાં લોક આદિને બંધનાં કારણ ન કહ્યાં ત્યાં એમ ન સમજવું કે બાહ્યવ્યવહારપ્રવૃત્તિને બંધના કારણોમાં સર્વથા જ નિષધી છે; બાહ્યવ્યવહાર પ્રવૃત્તિ રાગાદિ પરિણામને-બંધના કારણને-નિમિત્તભૂત છે; તે નિમિત્તપણાનો અહીં નિષેધ ન સમજવો.’

શું કહ્યું ? કે બાહ્યવ્યવહારપ્રવૃત્તિ વખતે બંધ થતો જ નથી એમ સર્વથા ન માનવું; કેમકે બાહ્યપ્રવૃત્તિ, રાગાદિ પરિણામ જે નિશ્ચય બંધનું કારણ છે તેને નિમિત્તભૂત છે. એટલે અજ્ઞાનીને તે વ્યવહારથી બંધનું કારણ છે; કેમકે તેને રાગાદિ હયાત છે.

‘જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વક-વાંછા વિના-પ્રવૃત્તિ થાય છે તેથી બંધ કહ્યો નથી, તેમને કાંઈ સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી; કારણ કે મર્યાદારહિત (અંકુશ વિના) પ્રવર્તવું તે તો બંધનું જ ઠેકાણું છે.’

જુઓ, ધર્મી પુરુષો અવાંછક હોય છે. તેમને રાગની રુચિ વિના જે બાહ્ય- વ્યવહારપ્રવૃત્તિ થાય છે તે બંધનું કારણ થતી નથી. તેથી કાંઈ તેમને સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી શું કહ્યું? ગમે તેમ ખાઓ, પીઓ ને કામ-ભોગમાં પ્રવર્તો-એમ નિરંકુશ પ્રવર્તન કરવાનું કહ્યું નથી. ધર્મીને તો જે ક્રિયા થાય છે તેનો તે જાણનાર રહે છે અને તેથી તેને એ ક્રિયાથી બંધ નથી. પણ સમકિતીના નામે કોઈ ગમે તેમ સ્વચ્છંદપણે વિષય-કષાયમાં પ્રવર્તે તેને તો તે પ્રવર્તન-આચરણ બંધનું જ ઠેકાણું છે, કેમકે બંધનું કારણ જે રાગાદિ તેના સદ્ભાવ વિના નિરંકુશ પ્રવર્તન હોતું નથી.

‘જાણવામાં ને કરવામાં તો પરસ્પર વિરોધ છે; જ્ઞાતા રહેશે તો બંધ નહિ થાય, કર્તા થશે તો અવશ્ય બંધ થશે.’

પરની ક્રિયા થાય એનો જાણનાર રહેવું અને એ ક્રિયા હું કરું છું એમ તેનો કર્તા થવું એ બન્ને તદ્દન વિરુદ્ધ છે; તેથી એક સાથે જ્ઞાતાપણું ને કર્તાપણું સંભવી શકતું નથી. જ્ઞાતા રહે તે કર્તા નથી અને કર્તા થાય તે જ્ઞાતા નથી. ત્યાં જ્ઞાતા રહે