Pravachan Ratnakar (Gujarati). Gatha: 265.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2603 of 4199

 

ગાથા–૨૬પ

न च बाह्यवस्तु द्वितीयोऽपि बन्धहेतुरिति शङ्कयम्–

वत्थुं पडुच्च जं पुण अज्झवसाणं तु होदि जीवाणं।
ण य वत्थुदो दु बंधो अज्झवसाणेण बंधोत्थि।। २६५।।
वस्तु प्रतीत्य यत्पुनरध्यवसानं तु भवति जीवानाम्।
न च वस्तुतस्तु बन्धोऽध्यवसानेन बन्धोऽस्ति।। २६५।।

વળી ‘બાહ્યવસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે’ એવી શંકા ન કરવી. (‘અધ્યવસાય તે બંધનું એક કારણ હશે અને બાહ્યવસ્તુ તે બંધનું બીજું કારણ હશે’ એવી પણ શંકા કરવી યોગ્ય નથી; અધ્યવસાય જ એકનું એક બંધનું કારણ છે, બાહ્યવસ્તુ બંધનું કારણ નથી.) આવા અર્થની ગાથા હવે કહે છેઃ-

જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ–આશ્રિત તે બને,
પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાનમાત્રથી બંધ થાય છે. ૨૬પ.

ગાથાર્થઃ– [पुनः] વળી, [जीवानाम्] જીવોને [यत्] જે [अध्यवसानं तु] અધ્યવસાન [भवति] થાય છે તે [वस्तु] વસ્તુને [प्रतीत्य] અવલંબીને થાય છે [च तु] તોપણ [वस्तुतः] વસ્તુથી [न बन्धः] બંધ નથી, [अध्यवसानेन] અધ્યવસાનથી જ [बन्धः अस्ति] બંધ છે.

ટીકાઃ– અધ્યવસાન જ બંધનું કારણ છે; બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, કેમ કે બંધનું કારણ જે અધ્યવસાન તેના કારણપણાથી જ બાહ્યવસ્તુને ચરિતાર્થપણું છે (અર્થાત્ બંધનું કારણ જે અધ્યવસાન તેનું કારણ થવામાં જ બાહ્યવસ્તુનું કાર્ય ક્ષેત્ર પૂરું થાય છે, તે કાંઈ બંધનું કારણ થતી નથી). અહીં પ્રશ્ન થાય છે કે-જો બાહ્યવસ્તુ બંધનું કારણ નથી તો (‘બાહ્યવસ્તુનો પ્રસંગ ન કરો, ત્યાગ કરો’ એમ) બાહ્યવસ્તુનો પ્રતિષેધ (નિષેધ) શા માટે કરવામાં આવે છે? તેનું સમાધાનઃ– અધ્યવસાનના પ્રતિષેધ અર્થે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. અધ્યવસાનને બાહ્યવસ્તુ આશ્રયભૂત છે; બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી અર્થાત્ ઊપજતું નથી. જો બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના પણ અધ્ય વસાન ઊપજતું હોય તો, જેમ આશ્રયભૂત એવા *વીરજનનીના પુત્રના સદ્ભાવમાં (કોઈને) એવો _______________________________________________________________ * વીરજનની = શૂરવીરને જન્મ આપનારી; શૂરવીરની માતા.