૧૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ વિના અધ્યવસાય ઉપજતો નથી. આ પ્રમાણે કારણના નિષેધથી કાર્યનો નિષેધ થાય છે. ધીમે ધીમે પણ સમજવું ભાઈ!
આ બંધ અધિકારમાં તો પહેલેથી જ ન્યાયથી ઉપાડયું છે કે -જુઓ, જગતમાં કર્મના રજકણો ઠસાઠસ છે માટે આત્મા બંધાય છે એમ નથી, નહિતર સિદ્ધને પણ બંધ થાય. તેમ મન-વચન-કાયાના યોગની ક્રિયા થાય માટે આત્મા બંધાય છે એમ નથી; જો એમ હોય તો ભગવાન કેવળીને (યથાખ્યાત સંયમીને) પણ બંધ થાય. તેમ પાંચ ઈન્દ્રિયોની ક્રિયા પણ બંધનું કારણ નથી, જો એમ હોય તો ભગવાન કેવળીને પણ બંધ થાય. તેમ ચેતન-અચેતનનો ઘાત પણ બંધનું કારણ નથી, જો એમ હોય તો સમિતિરૂપે પ્રવર્તનારા મુનિવરોને પણ બંધનો પ્રસંગ આવે. આ પ્રમાણે પર વસ્તુ બંધનું કારણ નથી. તો બંધનું કારણ શું છે? તો કહે છે-ઉપયોગમાં જે રાગાદિ કરે છે તે એક જ બંધનું કારણ છે. અહાહા...! એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ આત્મા એના જ્ઞાનસ્વભાવમાં ક્ષણિક વર્તમાન વિકારના-રાગાદિના પરિણામને એક કરે તે મિથ્યાત્વ બંધનું કારણ છે.
શું કહે છે? કે ભગવાન આત્મા ચિદાનંદઘન પ્રભુ અખંડ એક જ્ઞાયકભાવમય ત્રિકાળ જ્ઞાનના ઉપયોગરૂપ છે. તેના વર્તમાન વર્તતા જ્ઞાનના ઉપયોગમાં પુણ્ય-પાપરૂપ રાગાદિને, દયા, દાન આદિના વિકલ્પને જોડી દે-એક કરે તે મિથ્યાત્વભાવ છે અને તે જ સંસારનું-બંધનું કારણ છે. ભાઈ! તારો આત્મસ્વભાવ, ભગવાન જ્ઞાનસ્વભાવ એ બંધનું કારણ નથી, તેમ પરવસ્તુ પણ બંધનું કારણ નથી. ફક્ત સ્વ-સ્વરૂપના પરિણામમાં પરને એક કરવું તે મિથ્યાત્વ જ બંધનું કારણ છે. આવી વ્યાખ્યા છે બાપુ! અહા! આ તો જિનવાણી માતા-લોકમાતા ભાઈ!
બનારસી વિલાસમાં સ્તુતિમાં (શારદાષ્ટકમાં) આવે છે ને કે-
દુરાચાર દુર્નૈહરા શંકરાની, નમો દેવિ વાગેશ્વરી જૈનવાણી.”
અહાહા..! ભગવાન જિનેશ્વરદેવના મુખકમળમાંથી ઉત્પન્ન થયેલી હોવાથી જે ઓમ્ધ્વનિ જિનેન્દ્રા તરીકે સુવિખ્યાત થઈ છે, અને જે અતિ પવિત્ર જ્ઞાનના ભંડારરૂપ છે, જ્ઞાનને ઉત્પન્ન કરનારી છે એવી એ જગતની માતા જિનવાણી દુરાચાર અને દુર્નયનો નાશ કરનારી અને પરમ સુખની દેનારી છે. કવિ કહે છે-માટે હે વાગીશ્વરી! હું તારી ગોદમાં આવું છું, અર્થાત્ હું તને નમસ્કાર કરું છું. વળી કેવી છે તે જિનવાણી!
મહામોહ વિધ્વંસની મોક્ષદાની; નમો દેવિ વાગેશ્વરી જૈનવાણી.”
અહાહા...! અમૃતનો નાથ પ્રભુ આત્મા તેના આશ્રયે પ્રગટતા અમૃતરૂપ ધર્મને