अपदेशसान्तमध्यं पश्यति जिनशासनं सर्वम्।। १५।।
હવે, આ અર્થરૂપ ગાથા કહે છેઃ-
તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧પ.
ગાથાર્થઃ– [यः] જે પુરુષ [आत्मानम्] આત્માને [अबद्धस्पृष्टम्] અબદ્ધસ્પૃષ્ટ, [अनन्यम्] અનન્ય, [अविशेषम्] અવિશેષ (તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત [पश्यति] દેખે છે તે [सर्वम् जिनशासनं] સર્વ જિનશાસનને [पश्यति] દેખે છે,-કે જિનશાસન [૧अपदेशसान्तमध्यं] બાહ્ય દ્રવ્યશ્રુત તેમ જ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે.
ટીકાઃ– જે આ અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે, કારણ કે શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. પરંતુ હવે ત્યાં, સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ (પ્રગટપણું) અને વિશેષ (જ્ઞેયાકાર) જ્ઞાનના તિરોભાવ (આચ્છાદન) થી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. તોપણ જેઓ અજ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. તે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવીએ છીએઃ _________________________________________________________________ * પાઠાન્તરઃ अपदेससुत्तमज्झं ૧. अपदेश= દ્રવ્યશ્રુત; सान्त=જ્ઞાનરૂપી ભાવશ્રુત.