Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 265 of 4199

 

૨પ૮ [ સમયસાર પ્રવચન

(पृथ्वी)

अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहि–
र्महः परममस्तु नः सहजमुद्विलासं सदा।
चिदुच्छलननिर्भरं
सकलकालमालम्बते
यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम्।।
१४।।

(अनुष्टुभ्)
एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः।
साध्यसाधकभावेन द्विधैकः
समुपास्यताम्।। १५।।

__________________________________________________________________

શ્લોકાર્થઃ– આચાર્ય કહે છે કે [परमम् महः नः अस्तु] તે ઉત્કૃષ્ટ તેજ- પ્રકાશ અમને હો [यत् सकलकालम् चिद्–उच्छलन–निर्भरं] કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે, [उल्लसत्–लवण–खिल्य–लीलायितम्] જેમ મીઠાની કાંકરી એક ક્ષારરસની લીલાનું આલંબન કરે છે તેમ જે તેજ [एक–रसम् आलम्बते] એક જ્ઞાનરસ સ્વરૂપને અવલંબે છે, [अखण्डितम्] જે તેજ અખંડિત છે -જ્ઞેયોના આકારરૂપે ખંડિત થતું નથી, [अनाकुलं] જે અનાકુળ છે-જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન આકુળતા નથી, [अनन्तम् अन्तः बहिः ज्वलत्] જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે-જાણવામાં આવે છે, [सहजम्] જે સ્વભાવથી થયું છે -કોઈએ રચ્યું નથી અને [सदा उद्विलासं] હંમેશા જેનો વિલાસ ઉદયરૂપ છે-જે એકરૂપ પ્રતિભાસમાન છે.

ભાવાર્થઃ– આચાર્યે પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપજ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો. ૧૪.

હવે, આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છેઃ-

શ્લોકાર્થઃ– [एषः ज्ञानघनः आत्मा] આ (પૂર્વકથિત) જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે [सिद्धिम् अभीप्सुभिः] સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ [साध्यसाधकभावेन] સાધ્યસાધકભાવના ભેદથી [द्विधा] બે પ્રકારે, [एकः] એક જ [नित्यम् समुपास्यताम्] નિત્ય સેવવાયોગ્ય છે; તેનું સેવન કરો.

ભાવાર્થઃ– આત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે પરંતુ એનું પૂર્ણરૂપ સાધ્ય ભાવ છે અને અપૂર્ણરૂપ સાધકભાવ છે; એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો. ૧પ.