Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 266 of 4199

 

પ્રવચન નંબરઃ દિનાંકઃ પ્રવચન નંબરઃ દિનાંકઃ
પ૧ ૨૦-૧-૭૬ પ૨ ૨૧-૧-૭૬
પ૩ ૨૨-૧-૭૬ પ૪ ૨૩-૧-૭૬

* સમયસાર ગાથા –૧પ *

સમસ્ત જૈનશાસનના રહસ્યની આ ગાથા છે સર્વજ્ઞ પરમેશ્વરનો જે માર્ગ છે એ જ જૈનશાસનનો મોક્ષમાર્ગ છે.

* ગાથા –૧પઃ ગાથાર્થ ઉપરનું પ્રવચન *

‘यः’ જે પુરુષ ‘आत्मानम्’ શુદ્ધઆનંદઘન ચૈતન્યસ્વરૂપ આત્માને ‘अबद्धस्पृष्टम्’ અબદ્ધસ્પૃષ્ટ અર્થાત્ કર્મની સાથે બંધ અને સ્પર્શ રહિત, ‘अनन्यम्’ અનન્ય્ અર્થાત્ મનુષ્ય, નરક આદિ અન્ય અન્ય ગતિથી રહિત, ‘अविशेषम्’ અવિશેષ અર્થાત્ જ્ઞાન, દર્શન આદિ ગુણભેદ રહિત સામાન્ય એકરૂપ તથા ઉપલક્ષણથી (બે બોલ આ ગાથામાં નથી પણ ૧૪મી ગાથામાં આવી ગયા છે) નિયત એટલે વૃદ્ધિહાનિરૂપ અવસ્થાથી રહિત અને અસંયુક્ત અર્થાત્ પુણ્ય અને પાપ, સુખ-દુઃખરૂપ કલ્પનાઓથી રહિત ‘पश्यति’ દેખે છે એટલે કે અંતરમાં અનુભવે છે તે ‘सर्वम् जिनशासनम्’ સર્વ જિનશાસનને ‘पश्यति’ દેખે છે. સમસ્ત જૈનશાસનનું રહસ્ય તે આત્માએ જાણી લીધું. ભગવાન આત્મા નિત્ય મુક્તસ્વરૂપ શુભાશુભભાવરહિત ત્રિકાળ શુદ્ધ ચૈતન્યવસ્તુ છે. એવા આત્માનો અભ્યંતર જ્ઞાનથી (ભાવશ્રુત જ્ઞાનથી) અનુભવ કરવો એ (અનુભવ) શુદ્ધોપયોગ છે. એ વીતરાગી પર્યાય છે અને એ જ જૈનધર્મ છે. રાગ વિનાની વીતરાગી દશા તે જૈનશાસન છે અને એ જ જૈનધર્મનું રહસ્ય છે.

આત્મા જે ત્રિકાળી વસ્તુ છે એ જિનસ્વરૂપ જ છે. જિનવરમાં અને આત્મામાં કાંઈ ફેર નથી. કહ્યું છે નેઃ-

“જિન સોહી હૈ આતમા, અન્ય સોહી હૈ કર્મ,
યહી વચનસે સમજ લે જિનપ્રવચનકા મર્મ,”

પ્રત્યેક આત્માનો દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ આવો જ એકરૂપ છે. જે ભગવાન થયા તે આવા આત્માનો પૂર્ણ આશ્રય કરી પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટ કરીને થયા. શુદ્ધોપયોગ