Pravachan Ratnakar (Gujarati). Gatha: 273.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2710 of 4199

 

ગાથા–૨૭૩

कथमभव्येनाप्याश्रीयते व्यवहारनयः इति चेत्–

वदसमिदीगुत्तीओ सीलतवं जिणवरेहि पण्णत्तं।
कुव्वंतो वि अभव्वो अप्णाणी मिच्छदिट्ठी दु।। २७३।।
व्रतसमितिगुप्तयः शीलतपो जिन रैः प्रज्ञप्तम्।
र्कुन्नप्यभव्याऽज्ञानी मिथ्याद्रष्टिस्तु ।।
२७३।।

હવે પૂછે છે કે અભવ્ય જીવ પણ વ્યવહારનયનો કઈ રીતે આશ્રય કરે છે? તેનો ઉત્તર કહે છેઃ-

જિનવરકહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ વળી તપ–શીલને
કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. ૨૭૩.

ગાથાર્થઃ– [जिनवरैः] જિનવરોએ [प्रज्ञप्तम्] કહેલાં [व्रतसमितिगुप्तयः] વ્રત, સમિતિ, ગુપ્તિ, [शीलतपः] શીલ, તપ [कुर्वन् अपि] કરતાં છતાં પણ [अभव्यः] અભવ્ય જીવ [अज्ञानी] અજ્ઞાની [मिथ्याद्रष्टिः तु] અને મિથ્યાદ્રષ્ટિ છે.

ટીકાઃ– શીલ અને તપથી પરિપૂર્ણ, ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ પ્રત્યે સાવધાનીભરેલું, અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર અભવ્ય પણ કરે છે અર્થાત્ પાળે છે; તોપણ તે (અભવ્ય) નિશ્ચારિત્ર (-ચારિત્રરહિત), અજ્ઞાની અને મિથ્યાદ્રષ્ટિ જ છે કારણ કે નિશ્ચયચારિત્રના કારણરૂપ જ્ઞાન-શ્રદ્ધાનથી શૂન્ય છે.

ભાવાર્થઃ–અભવ્ય જીવ મહાવ્રત-સમિતિ-ગુપ્તિરૂપ વ્યવહાર ચારિત્ર પાળે તોપણ નિશ્ચય સમ્યગ્જ્ઞાનશ્રદ્ધાન વિના તે ચારિત્ર ‘સમ્યક્ચારિત્ર’ નામ પામતું નથી; માટે તે અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે.

*
સમયસાર ગાથા ૨૭૩ઃ મથાળું

હવે પૂછે છે કે અભવ્ય જીવ પણ વ્યવહારનયનો કઈ રીતે આશ્રય કરે છે? અહા! આવો જે વ્યવહાર ભગવાને કીધો છે એનો અભવ્ય જીવ પણ કઈ રીતે આશ્રય કરે છે કે તે કરવા છતાં પણ તેને ધર્મ હોતો નથી? આનો ઉત્તર ગાથામાં કહે છેઃ-