૨૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ પરિત્યાગમાં દૂધ, દહીં, ઘી, ખાંડ, મીઠું ઇત્યાદિનો પરિત્યાગ કરે; પણ ભાઈ! એમાં આત્માનો આનંદરસ કયાં છે? એ તો બધો એકલો રાગ છે. અંદર આત્માના અતીન્દ્રિય આનંદરસનો-અમૃતનો સ્વાદ આવ્યા વિના આ બહારનો રસ-પરિત્યાગ શું કરે? કાંઈ નહિ; એ તો બંધનું-કલેશનું જ કારણ બને છે. કોઈ બહારના રસ-પરિત્યાગમાં મશગુલ રહે ને માને કે અમને ધર્મ થાય છે તો તે મિથ્યાદ્રષ્ટિ જ છે.
વળી અનેક પ્રકારે કાયકલેશ કરે, ગરમી-ઠંડી વગેરે સહન કરે; ઉનાળાની પ્રચંડ ગરમીમાં પહાડની શિલા પર જઈ આતાપન યોગ ધરે, શિયાળાની તીવ્ર ઠંડીમાં નદી કિનારે જઈ ખુલ્લામાં ઊભા રહે તથા વર્ષાઋતુમાં વર્ષા વરસતી હોય, પ્રચંડ પવન વાતો હોય ને ડાંસ-મચ્છર ચટકા ભરતા હોય એવા સમયમાં વૃક્ષ નીચે જઈ યોગ ધારણ કરે. વળી શરીરના અંગોને-ઇન્દ્રિયોને ગોપવે-આંખથી કાંઈ જુએ નહિ, કાનથી કાંઈ સાંભળે નહિ, જીભથી મૌન રાખે, સુગંધ કે દુર્ગંધયુક્ત પદાર્થોમાં પ્રીતિ-અપ્રીતિ ન કરે તથા કઠોર કે સુંવાળા સ્પર્શાદિમાં ખેદ કે હરખ કરે નહિ. આ પ્રમાણે પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરે, તથા અંગ-ઉપાંગને સ્થિર રાખી અમુક પ્રકારનાં આસનો ધરે-ઇત્યાદિ સંલીનતા કરે તોપણ, અહીં કહે છે, અને ધર્મ થતો નથી. ગજબ વાત ભાઈ! શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી પરમાનંદમય તત્ત્વ પોતે આત્મા છે. એક તેનો આશ્રય કર્યા વિના આ બધી બાહ્ય તપની પરાશ્રિત રાગાદિની ક્રિયાઓ કરે તે સર્વ તેને સંસારમાં ચારગતિમાં રખડવા માટે જ છે. સમજાણું કાંઈ...?
વળી તે અભ્યંતર છ પ્રકારનાં વ્યવહાર તપ પ્રાયશ્ચિત આદિ કરે છે. બહારમાં કોઈ દોષ લાગે તો તે એનું પ્રાયશ્ચિત લઈ ગુરુ-આજ્ઞા પ્રમાણે એકથી માંડીને છ માસ સુધીના ઉપવાસ કરે. પણ એ બધો ભાવ શુભરાગ છે ભાઈ! ચિત્તની અંતઃશુદ્ધિ વિના એને ધર્મ કયાંથી થાય? ન થાય.
વળી સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો-સર્વજ્ઞ વીતરાગ શ્રી અરિહંત દેવ, નિર્ગ્રંથ નગ્ન દિગંબર મુનિરાજ અને ભગવાન શ્રી જિનેશ્વરદેવે કહેલાં શાસ્ત્રોનો વિનય-બહુમાન ઘણો કરે છતાં એ પરદ્રવ્યનો જે વિનય છે તે શુભભાવ છે, ધર્મ નહિ.
પણ શ્રીમદ્માં આવે છે ને કે-વિનય મોક્ષનો દરવાજો છે? હા; પણ એ આ વિનય નહિ ભાઈ! એ તો નિર્મળાનંદનો નાથ પોતે એક જ્ઞાયકસ્વભાવી સ્વસ્વરૂપે અંદર સદા વિરાજી રહ્યો છે તેનો આદર, તેનો સત્કાર કરે તે સત્યાર્થ વિનય છે અને તે મોક્ષનો દરવાજો છે. પણ સ્વસ્વરૂપના આદરરહિત કોઈ દેવ- ગુરુ-શાસ્ત્રની ગમે તેટલી અનંતી ભક્તિ કરે તોય તેનાથી મોક્ષમાર્ગ થાય નહિ. સમજાણું કાંઈ...?
જુઓ, આ વીતરાગ પરમેશ્વર ભગવાન જિનેશ્વરદેવે કહેલાં શીલ-તપને અભવ્ય