Pravachan Ratnakar (Gujarati). Gatha: 278-279.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2773 of 4199

 

ગાથા ૨૭૮–૨૭૯

जह फलिहमणी सुद्धो ण सयं परिणमदि रागमादीहिं। रंगिज्जदि अण्णेहिं दु सो रत्तादीहिं दव्वेहिं।। २७८।। एवं णाणी सुद्धो ण सयं परिणमदि रागमादीहिं। राइज्जदि अण्णेहिं दु सो रागादीहिं दोसेहिं।। २७९।।

यथा स्फटिकमणिः शुद्धो न स्वयं परिणमते रागाद्यैः।
रज्यतेऽन्यैस्तु स रक्तादिभिर्द्रव्यैः।। २७८।।
एवं ज्ञानी शुद्धो न स्वयं परिणमते रागाद्यैः।
रज्यतेऽन्यैस्तु स रागादिभिर्दोषैः।।
२७९।।

ઉપરના પ્રશ્નના ઉત્તરરૂપે આચાર્યભગવાન ગાથા કહે છેઃ-

જ્યમ સ્ફટિકમણિ છે શુદ્ધ, રક્તરૂપે સ્વયં નહિ પરિણમે,
પણ અન્ય જે રક્તાદિ દ્રવ્યો તે વડે રાતો બને; ૨૭૮.
ત્યમ ‘જ્ઞાની’ પણ છે શુદ્ધ, રાગરૂપે સ્વયં નહિ પરિણમે,
પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને. ૨૭૯.

ગાથાર્થઃ– [यथा] જેમ [स्फटिकमणिः] સ્ફટિકમણિ [शुद्धः] શુદ્ધ હોવાથી [रागाद्यैः] રાગાદિરૂપે (રતાશ-આદિરૂપે) [स्वयं] પોતાની મેળે [न परिणमते] પરિણમતો નથી [तु] પરંતુ [अन्यैः रक्तादिभिः द्रव्यैः] અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે [सः] તે [रज्यते] રક્ત (-રાતો) આદિ કરાય છે, [एवं] તેમ [ज्ञानी] જ્ઞાની અર્થાત્ આત્મા [शुद्धः] શુદ્ધ હોવાથી [रागाधैः] રાગાદિરૂપે [स्वयं] પોતાની મેળે [न परिणमते] પરિણમતો નથી [तु] પરંતુ [अन्यैः रागादिभिः दोषैः] અન્ય રાગાદિ દોષો વડે [सः] તે [रज्यते] રાગી આદિ કરાય છે.

ટીકાઃ– જેવી રીતે ખરેખર કેવળ (-એકલો) સ્ફટિકમણિ, પોતે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી (અર્થાત્ પોતે પોતાને લાલાશ-આદિરૂપ પરિણમનનું નિમિત્ત નહિ હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું